SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ નથી. તેથી ઘડા અને માટીમાં જુદાઈ કે ભેદ છે જ નહીં અને જો હોય તો તે નામ અને આકારના કલ્પિત ભેદ છે, વાસ્તવિક નહીં. “ઘડો’ એ કાર્ય છે અને માટી કારણ છે. તેથી કારણ, કાર્યમાં અનુસૂત હોવાથી પણ સમજાય છે કે, ઘડો માટીમય છે. તેથી માટીથી જુદો હોઈ શકે નહીં અને માટીથી જુદું ઘડાનું સ્વતંત્ર અસ્તિત્વ કોઈ બતાવી શકે પણ નહીં. તેથી સ્પષ્ટ થાય છે કે, ઘડો માત્ર મોહ કે અજ્ઞાનથી જ માની લીધેલો અને કલ્પિત છે. વાસ્તવમાં ઘડામાં માટીથી અન્ય કંઈ જ નથી. માટી એ જ વાસ્તવિક સત્ય છે. (છંદ-ઉપજાતિ) सद्ब्रह्मकार्य सकलं सदेव तन्मात्रमेतन्न ततोऽन्यदस्ति । . अस्तीति यो वक्ति न तस्य मोहो વિનિતો નિદ્રિતવત્રનત્પ: ર૩રા સદ્ધક્ષાર્થમ્ = સત-બ્રહ્મનું કાર્ય મસ્ત તિ : વ = (સતનું કાર્ય સઝનમ્ = સર્વ કાંઈ સતથી જુદું છે) એવું જે કહે છે. સત્ વ = સત જ છે. તસ્ય = તેનું તત્ + = આ બધું) મોઢઃ = અજ્ઞાન તન્માત્રમ્ = તે (સત) જ છે. ન વિનિત = નાશ પામ્યું નથી. (તે) તતઃ = તેનાથી * નિદ્રિતવત્ = ઊંઘતા મનુષ્યની જેમ ન મન્ય મસ્તિ = જુદું નથી. પ્રનત્પઃ = બકવાસ કરે છે. જગતમાં રહેલા ભેદ કલ્પિત છે તેવું સમજાવવા માટે પૂર્વેના બે શ્લોક દ્વારા ઘડો અને માટીનું દૃષ્ટાંત આપી કાર્ય-કારણ અભેદ છે તેવું સમજાવ્યું અને હવે દૃષ્ટાંત ઉપરથી દાષ્ટત ઉપર જતાં સમજાવવામાં આવ્યું છે કે, જેમ ઘડાનું કારણ માટી જ સત્ય છે અને ઘડો તેવું નામ અને તેનો આકાર કલ્પિત આરોપ માત્ર છે તેમ આ સઘળું જગત જે કંઈ નામ અને આકાર રૂપે ભિન્ન ભિન્ન દેખાય છે તે બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્મ કારણ છે. તેથી માટી અને ઘડામાં જણાતાં એકત્વના ન્યાયે બ્રહ્મ અને જગત પણ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy