________________
૩૯૭
બ્રહ્માંડની પરમાર્થમાં તો એકરૂપતા જણાય છે. તેમ છતાં અજ્ઞાનકાળે ઉપાધિભેદે જગતમાં અનેકતા ભાસે છે. આમ વ્યવહારમાં ઉપાધિ દ્વારા, અનેક પ્રકારના આકાર કે રૂપ દ્વારા, જગતમાં જે કંઈ ભિન્નતા કે ભેદ જણાય છે તેનું કારણ માત્ર અજ્ઞાન છે. અજ્ઞાની જ નામ અને રૂપને સાચા માને છે, માટે જ તેને ભદદર્શન થાય છે. હકીકતે તો તરંગો, પરપોટાં, ફીણના ગોટા વગેરેમાં નર્યું જળતત્ત્વ જ એકરસરૂપે ભરેલું છે. પરંતુ જળતત્ત્વને જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ જેને પ્રાપ્ત નથી, તે અવિવેકી કે અજ્ઞાની, અજ્ઞાન દ્વારા જ વિવિધ રૂપ, આકાર અને નામને સાચા માની ભેદ કલ્પે છે. વાસ્તવમાં તો બ્રહ્મતત્ત્વથી જ સર્વ જગત પરિપૂર્ણ અને વ્યાપ્ત છે. તેથી જગતમાં કાલ્પનિક ભેદ સિવાય અન્ય કંઈ જ નથી અને બ્રહ્મતત્ત્વ તો કલ્પનાજન્ય ભેદથી રહિત અથવા કલ્પનાથી જન્મેલી ભેદભાવનાના દોષ વિનાનું જ છે. માટે જ બ્રહ્મને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. બ્રહ્મમાં નથી કલ્પના દેશ-કાળની, નથી નામ-રૂપની કે નથી ભેદભાવની. આમ, કલ્પના કે ભ્રાંતિથી અસંગ અને અખંડ બ્રહ્મ જ જગતરૂપી આરોપનું એક માત્ર અધિષ્ઠાન છે. તેમાં દ્વત, ભેદ જુદાઈ કે અનેકતાની ભ્રાંતિ હોઈ શકે જ નહીં.
(છંદ-ઉપજાતિ) मृत्कार्यभूतोऽपि मृदो न भिन्नः
कुम्भोऽस्ति सर्वत्र तु मृत्स्वभावात् । न कुम्भरूपं पृथगस्ति कुम्भः
સુતો મૃષા કલ્પિતનામમાત્રઃ ||રરૂl. મૃતાર્યભૂતઃ = માટી જેનું ઉપાદાન કારણ છે એવો
= ઘડો अपि सर्वत्र तु = બધી જ રીતે, ખરેખર मृत् स्वभावात् = માટીરૂપ જ હોવાથી મૃતઃ
= માટીથી न भिन्नः अस्ति = ભિન્ન નથી.