SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ વિશો: = શોકથી રહિત (અને) મુમુક્ષોઃ = મુમુક્ષુ માટે માનન્દઘT: = આનન્દસ્વરૂપ થયેલો સ્વતન્વીવામં વિના = પોતાના ઈશ્વત્ = કોઈ પણ સ્વરૂપના જ્ઞાન વગર વિપશ્વત્ = જ્ઞાની ભવાન્યમુ: = સંસારરૂપ બંધનમાંથી સ્વયમ્ = પોતે છૂટવાનો , શ્વત્ = કોઈથી પણ ન બન્ય: પન્થા મતિ = બીજો કોઈ ન વિમેતિ = ભય પામતો નથી. માર્ગ નથી. આત્મજ્ઞાન વિના મુક્તિનો કોઈ માર્ગ નથી આત્મજ્ઞાનની અને તેવા જ્ઞાનીની સ્તુતિ કરતા જણાવવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં માત્ર જ્ઞાની જ એક એવો પુરુષ છે કે જે પોતાના આત્મસ્વરૂપનું નિઃસંદેહ જ્ઞાન પ્રાપ્ત કરી શોકરહિત અને આનંદસ્વરૂપ બની જાય છે. માટે જ શોકથી મુક્ત થયેલો તે વિશો: અને માનન્દઘનઃ ક્યારેય કોઈથી ક્યાંય ભય અનુભવતો નથી. આવા જ્ઞાન દ્વારા પ્રાપ્ત અભયને અલંકૃત કરનાર વિવેકી અભયપદને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તત્ત્વાર્થે તો અમરત્વને પામે છે અને આવી અમરતાને જ પરમપદ કહેવામાં આવે છે. જ્યાં ગયેલો જ્ઞાની કદાપિ મરણશીલ પૃથ્વી પર જન્મી, પુનઃ જન્મ-મૃત્યુના ચક્રને પ્રાપ્ત કરતો નથી અને જન્મ-મૃત્યુના ચક્ર જેવા ભવબંધનમાંથી સદાને માટે મુક્ત થઈ જાય છે. પરંતુ આથી પ્રત્યેક મુમુક્ષુએ યાદ રાખવું કે ભવબંધનથી મુક્તિ માટે આત્મતત્ત્વના જ્ઞાન સિવાય અન્ય કોઈ પણ રસ્તો નથી. આત્મજ્ઞાન સિવાયનું અન્ય કોઈ પણ સાધન ન તો મુમુક્ષુને બંધનથી છોડાવી શકે, ભવસાગરથી તારી શકે કે મુક્તિના દ્વાર ખોલી શકે. શ્રુતિએ પણ એવો જ સંદેશ આપ્યો છે, –ના : પન્થા વિમુક્તયે | | (છંદ-અનુષ્ટ્રપ) ब्रह्माभिन्नत्वविज्ञानं भवमोक्षस्य कारणम् । येनाद्वितीयमानन्दं ब्रह्म संपद्यते बुधैः ॥२२५॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy