________________
૩૭૭
અવસ્થાત્રયસાલી= (જાગ્રત વગેરે ત્રણેય) સનિન્દ્રઃ = નિત્ય આનંદરૂપ છે.
અવસ્થાઓનો જોનારો સઃ = તેને સન્ = હોવા છતાં વિપતિ = વિદ્વાને નિર્વિર: = વિકારોથી રહિત સ્વાત્મત્વેન = પોતાના આત્મારૂપે નિરશ્નનઃ = નિરંજન (અને) વિશેષઃ = જાણવો.
આત્મસાક્ષાત્કારનો સંદેશ
આ આત્મા સ્વયંયોતિસ્વરૂપ છે (SELF EFFULGENT) અર્થાત આત્માને પોતાનું સ્વરૂપ જણાવવા કે અન્યને જાણવા માટે પોતાથી ભિન્ન પ્રકાશની કે જ્ઞાનની જરૂર નથી. તાત્પર્યમાં આત્મા જ્ઞાનરૂપી પ્રકાશથી સભર છે અને તેનું જ્ઞાનચૈતન્ય જ આત્માનું સાચું સ્વરૂપ છે. ચંદ્ર જેમ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે અને સ્વયં સૂર્ય, આત્માના પ્રકાશથી જ જણાય છે તેનો અર્થ એમ સમજવો કે સૂર્ય પોતે કહેતો નથી કે, “હું સૂર્ય છું, સૂર્યમંડળનો અધિષ્ઠાતા છું, પ્રકાશ મારું સ્વરૂપ છે, હું અગ્નિનો પણ અગ્નિ છું', પરંતુ સૂર્યને જે કોઈ દષ્ટા કે જ્ઞાતા છે તે આત્માના જ્ઞાનરૂપી પ્રકાશ વડે જ સૂર્યને જાણે છે. આમ, સૂર્ય હોવા છતાં પોતે કેવો છે, ક્યાં છે, શું છે તે જણાવી શકતો નથી પરંતુ આત્મતત્ત્વથી જ સૂર્યનું જ્ઞાન થાય છે. માટે સૂર્ય અને ચંદ્ર અને પરપ્રકાશિત છે
જ્યારે આત્મા સ્વયં પ્રકાશિત છે, જાણવાની પ્રક્રિયા માટે સ્વતંત્ર છે. આત્માના ઉદય પછી જ અન્ય કાંઈ જાણી કે સમજી શકાય છે, તેવું કઠશ્રુતિ પણ કહે છે. તમેવ માત્તમનુમતિ સર્વન્!” “આત્માના સ્કુરણ પછી જ અન્ય સર્વ કંઈ સ્ફરે છે.” આમ, આ સ્વયંપ્રકાશ આત્મા, સ્વયંજ્યોતિસ્વરૂપ અર્થાત્ જ્ઞાનસ્વરૂપ છે. માટે જ તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી ત્રણે અવસ્થાનો જ્ઞાતા, દષ્ટા અને સાક્ષી જ છે. છતાં તેને કોઈ અવસ્થા જોડે સંગ કે આસક્તિ નથી. તે જ પ્રમાણે તેને નથી સંગ કે સંબંધ અન્નમયાદિ પાંચકોશ સાથે. આમ, આત્મા અસંગ છે, પંચકોશ રહિત અને સ્થળ, સૂક્ષ્મ અને કારણ જેવા શરીરથી વિલક્ષણ છે. માટે જ પંચકોશ કે શરીરના વિકારો આત્માને સ્પર્શ કરતા નથી તથા તમોગુણ કે અવિદ્યા દ્વારા ઊભા કરાયેલા આવરણથી આત્મા આચ્છાદિત પણ થતો નથી. માટે જ તેને નિરંજન એવું કહેવાયું છે.