________________
૩૬૪
પ્રાગભાવની પેઠે નિત્ય કે અંતરહિત નથી તે સ્પષ્ટ છે.” કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ પૂર્વે તે વસ્તુનો અભાવ, અસ્તિત્વ, ગેરહાજરી કે અનુપસ્થિતિ હોય છે. તેને જ સંસ્કૃતમાં પ્રાથમિાવ (પ્રાફ-અભાવ) કહેવામાં આવે છે. આવો પ્રાગભાવ અર્થાત ઉત્પત્તિ પૂર્વેનો અભાવ અનાદિ હોય છે તેવું કહ્યું છે. દા.ત. ઘડાની ઉત્પત્તિ પૂર્વે ઘડો નહોતો. તેને ઘડાનો પ્રાગભાવ કહેવાય અને આવો પ્રાગભાવ અનાદિ છે. તેનો અર્થ એવો થાય છે કે ઘડો કેટલા કાળથી કે કેટલા સમયથી નહોતો અગર તેનો અભાવ ક્યારથી શરૂ થયો, તે તો કોઈ કહી શકે નહીં. કારણ કે જે ઘડો ઉત્પન્ન જ નથી થયો, ભવિષ્યમાં થવાનો છે તેનો અભાવ ક્યારે શરૂ થયો તે કોણ કહી શકે? માટે જ ઘડાની ઉત્પત્તિ પૂર્વેના અભાવને કે પ્રાગભાવને અનાદિ કહેવાય છે. એ જ પ્રમાણે, જીવભાવ પણ અનાદિ છે. કારણ કે તેનો પ્રારંભ ક્યારે થયો તે પ્રાગભાવની જેમ કોઈ કહી શકે નહીં. તદુપરાંત જીવભાવનું કારણ અવિધા પણ અનાદિ છે. તેથી અવિદ્યાના કાર્યરૂપે જીવભાવને પણ અનાદિ કહેવાય છે. પરંતુ જેવી રીતે ઘડાનો પ્રાગભાવ અર્થાત્ જન્મ પૂર્વેનો અભાવ, ઘડો જન્મતાંની સાથે જ નાશ પામે છે, તેમ જીવભાવનો નાશ પણ આત્મજ્ઞાનના ઉદય સાથે જ થાય છે. આમ, જીવભાવ ભલે અનાદિ કહેવાય કે મનાય છે છતાં જ્ઞાનકાળે તેનો નાશ થાય છે. કારણ કે જ્ઞાનમાં તો જીવભાવના કારણ જેવી અવિદ્યાનો જ નાશ થાય છે, તો તેનાં કાર્યનો નાશ થાય તેમાં આશ્ચર્ય હોઈ શકે નહીંસિદ્ધાંતમાં જણાવાયું છે કે કારણના નાશમાં જ કાર્યનો નાશ સમાયેલો છે. તેથી સ્પષ્ટ છે કે આત્મજ્ઞાનની જવાળામાં જો અવિદ્યા ન ટકી શકે કે ન સાબૂત બચી શકે તો સ્પષ્ટ છે કે તેના કાર્ય જેવો જીવભાવ પણ ભસ્મ થયા વિના રહી શકે નહીં. આવી ચર્ચાને નિષ્કર્ષ તો એટલો જ છે કે જીવભાવ ભલે અનાદિ હોય, છતાં અંતવાન કે વિનાશી છે. અજ્ઞાનકાળે જીવભાવ જન્મે છે અને જ્ઞાનકાળે નાશ પામે છે. તેથી જીવનું અસ્તિત્વ કે સત્તા, સ્વપ્ન જેવી પ્રતિભાસિક છે. જેમ સ્વપ્નમાં જે કંઈ જોયેલું તે સ્વપ્ન પૂર્વે નહોતું. તેથી સ્વપ્નનાં જન્મ પૂર્વે સ્વપ્નસૃષ્ટિનો પ્રાગભાવ હતો, એમ કહેવાય. અર્થાત્ સ્વપ્નસૃષ્ટિનો સ્વપ્ન પૂર્વે અભાવ હતો માટે જ જાગૃતિ પછી પુનઃ સ્વપ્નસૃષ્ટિનો અભાવ સર્જાય છે, તેને પ્રધ્વસાભાવ કહેવાય