________________
૩પ૭
(છંદ-અનુષ્ટ્રપ)
श्रीगुरुरुवाच सम्यक् पृष्टं त्वया विद्वन् सावधानेन तच्छृणु । प्रामाणिकी न भवति भ्रान्त्या मोहितकल्पना ॥१६६॥
શ્રીગુરુ: વાવ = શ્રી ગુરુ બોલ્યા. વિદ્વત્ = (હે) વિદ્વાન ! ચૂy = (૮) સાંભળ. ત્રયા = તે
થાન્યા = ભ્રમને લીધે ઉપજેલી સદ્ = ઠીક
મોહિતત્પના = મોયુક્ત પૃષ્ઠમ્ = પ્રશ્ન કર્યો. (હવે) તત્ = તે તેનું સમાધાન) પ્રામાણિી = પ્રમાણભૂત (સત્ય) સાવધાન = સાવધાન થઈને ન ભવતિ = હોતી નથી.
કલ્પના
સમાધાન * શિષ્યની શંકાનું સમાધાન કરતાં ગુરુદેવ ઉત્તર આપે છે કે હે પ્રશ્નોત્તરીમાં પારંગત શિષ્ય ! તારો પ્રશ્ન સૂચક, શ્રેયકર અને તાત્પર્યસભર છે. તે અનેક મુમુક્ષુઓના સંદેહને તારી વાણીથી અભિવ્યક્ત કર્યો છે. ધન્ય છે તને! હવે તું સાવધાનીપૂર્વક, ચિત્તની એકાગ્રતા દ્વારા મારો ઉત્તર સાંભળ અને સમજવા પ્રયત્ન કર. ભ્રાંતિ વડે ઉત્પન્ન થયેલી કલ્પના કદી સત્ય હોતી નથી. અર્થાતુ જ્યારે કોઈ મનુષ્ય ભ્રાંતિમાં હોય અને એવી ભ્રાંત દશા વખતે જો તેને કોઈ શંકા ઊઠે તો તે શંકા કદી પ્રામાણિક કે સત્ય હોઈ શકે નહીં. એનો અર્થ એ જ છે કે અજ્ઞાનદશામાં ઊભા થયેલા સંદેહ, શંકા કે પ્રશ્નો પાયા વગરના જ હોય છે. તેવા પ્રશ્નને કદી પ્રમાણભૂત ગણાય નહીં, તો તેનો ઉત્તર કેવો? અરે ! ભ્રાંતિને તો કોઈ ઉત્તર હોઈ શકે? જેમ સ્વપ્નમાં ઊઠેલી શંકાનું જાગ્રતમાં સમાધાન ન હોય, કારણ કે તે શંકા જ હકીકતે હોતી નથી, તેવું જ તારા પ્રશ્નનું છે. છતાં શ્રદ્ધાયુક્ત થઈશ્રવણ કર. આવું કંઈ સદ્ગુરુ શિષ્યને સમાધાનાર્થે સંકેતમાં સમજાવવા માગે છે.