SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ સંશયાત્મિક વૃત્તિ, ચિત્તની અનુસંધાત્મિકા વૃત્તિ અને બુદ્ધિની પોતાની નિશ્ચયાત્મિકા વૃત્તિ હોય; આમ, મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકારાદિની વૃત્તિઓ અને જ્ઞાનેન્દ્રિયો એક બીજા સાથે જોડાય છે ત્યારે બુદ્ધિમાં કર્તાભાવ જાગે છે, તથા બુદ્ધિને કર્તાપણાનું અભિમાન થાય છે. આવી કર્તાના અભિમાનવાળી તથા સર્વ વૃત્તિઓ અને ઇન્દ્રિયોના સમૂહવાળી સંયુક્ત બુદ્ધિને વિજ્ઞાનમયકોશ કહેવામાં આવે છે. આ વિજ્ઞાનમયકોશ જ જીવાત્માના સંસારનું કારણ બને છે. આવા વિજ્ઞાનમય કોશમાં ચૈતન્યમય આત્માની શક્તિ પ્રતિબિંબરૂપે રહેલી જણાય છે. આવી પ્રતિબિંબશક્તિ પ્રકૃતિના વિકારરૂપે કે માયાના કાર્યરૂપે વિજ્ઞાનમયકોશમાં હોય છે. નવા સાધકે સમજવું કે શ્લોકમાં વપરાયેલો “પ્રકૃતેઃ વિજાર:” પ્રકૃતિ શબ્દ માયાનો પર્યાય છે. તેથી પ્રકૃતિનો વિકાર કહો કે માયાનું કાર્ય કહો, તત્ત્વાર્થે એકનું એક જ છે. આમ, ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રતિબિંબિત શક્તિના લીધે જ વિજ્ઞાનમયકોશ, જ્ઞાન અને ક્રિયાનો અભિમાની થઈ કહે છે કે હું જ્ઞાનવાન કે ક્રિયાવાળો છું. ઉપરાંત હું દેહ, હું ઇન્દ્રિય કે હું મન-બુદ્ધિ છું; એવું નિરંતર અભિમાન કરનારો પણ આ વિજ્ઞાનમયકોશ છે. | (છંદ-ઉપજાતિ) अनादिकालोऽयमहस्वभावो નીવ: સમસ્તવ્યવહારવોઢા ! करोति कर्माण्यपि पूर्ववासनः पुण्यान्यपुण्यानि च तत्फलानि ॥१८८॥ अनादिकालः = અનાદિકાળથી ચાલ્યો આવતો હું” સ્વભાવ: = “હું સ્વભાવવાળો अयम् = આ (વિજ્ઞાનમય કોશ) સમસ્તવ્યવહારવોઢા = સર્વ વ્યવહાર ચલાવવાવાળો जीवः = જીવ છે. (તે) પૂર્વવાસનઃ = પૂર્વજન્મની (શુભ-અશુભ) વાસના પ્રમાણે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy