SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ પાયાની, મહત્ત્વની તથા પ્રાથમિક વાત છે. જીવનના વણખેડાયેલા અનેક પ્રશ્નોમાંનો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. બંધન કે મોક્ષ આવ્યા ક્યાંથી? પેદા ર્યા કોણે? તેવી શંકા સામાન્ય મુમુક્ષુને થયા વગર રહેતી નથી. તેનું અત્રે સાત્વિક શાસ્ત્રોક્ત અને યથાર્થ સદષ્ટાંત સમાધાન આપવામાં આવે છે. પૂર્વે આચાર્યશ્રીએ ઉલ્લેખ કર્યો અને આપણે વિચાર કરી ચૂક્યા કે મને એ જ અવિદ્યા કે અજ્ઞાન છે, તે જ વિચારધારાને વધુ સ્પષ્ટ કરવા અત્રે જે કહ્યું કે મન એ જ બંધન-મોક્ષનું કારણ છે તે પરથી એવું પણ ફલિત થઈ શકે કે અજ્ઞાન જ બંધન-મોક્ષનું કારણ છે. કારણ કે મન, અવિદ્યા કે અજ્ઞાન જો એક જ હોય તો મન કે અવિદ્યા ગમે તે, બંધન-મોક્ષનું કારણ માની શકાય. છતાં શ્લોક સંદર્ભે વિચારણાનો વિસ્તાર કરીએ તો સમજી શકાય કે જેવી રીતે સૂર્યની ગરમીથી ઉત્પન્ન થતાં અને આકાશમાં રહેલાં વેરવિખેર વાદળોને વાયુ કે પવન એક દિશામાં ખેંચી લાવે છે, તેમને એકત્ર કરે છે, એક સાથે ઘનઘોર ઘટામાં બાંધી દે છે અને ધોધમાર વર્ષા કરવા તેમને પ્રેરે છે. આમ, ભિન્ન ભિન્ન દિશાના વાદળાંઓને એક સ્થળે ભેગા કરી જોડવાનું કે સમૂહમાં બાંધવાનું કાર્ય વાયુ કરે છે. તે જ વાયુ પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ લે તો વાદળાંઓને પુનઃ વેરવિખેર કરી છિન્નભિન્ન કરી નાંખે છે અને તેમના સમૂહથી છૂટા પાડે છે. આવી રીતે જેમ વાયુ મેઘ કે વાદળને એક દિશામાં કે સ્થળમાં બાંધે છે, બંધનમાં પાડે છે તે જ વાયુ તેમને સમૂહબંધનથી મુક્ત પણ કરે છે. તે જ પ્રમાણે સમજવાનું કે મનરૂપી વાયુ જ સાધક, મુમુક્ષુ કે જ્ઞાનમાર્ગના પથિકને ઇન્દ્રિયોના વિષયો જેવા કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની દિશામાં ખેંચી જાય છે, ઇન્દ્રિયભોગમાં તેને આસક્ત કરે છે. મનરૂપી વાયુ જ વ્યક્તિને વિષયભ્રમણમાં ભટકાવી, વિષયના રાગ કે આસક્તિ જેવું બંધન પેદા કરી, મનુષ્યને વિષયનો બંધાણી બનાવી બંધન ઊભું કરે છે. આમ, ઇન્દ્રિયોના વિષયોની મોટી આંકણી કરવી કે તેવા નશ્વર પદાર્થોનું મોટું મૂલ્યાંકન કરવું અગર ક્ષણભંગુર, નજીવા પદાર્થોને મૂલ્યવાન કે શાશ્વત માનવા તે બધું જ મનની કલ્પના સિવાય અન્ય કંઈ જ નથી. મન જ અસત પદાર્થોના નશ્વર ભોગનું મોટું મૂલ્યાંકન કરી મુમુક્ષુને વિષયોમાં બાંધે છે. માટે જ શ્લોકમાં જણાવ્યું છે કે “મનસા વનતે વ:”
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy