________________
૩૧૯
ઉપમા આપી છે.
મનોમયકોશ એ અગ્નિ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો એ અગ્નિમાં હોમ કરનારા હોતાઓ છે. શબ્દાદિ પાંચ વિષયો એ અગ્નિમાં હોમવાની ઘીની પાંચ ધારા સમાન છે અને અનંત કામના કે વાસનાઓ ઈધણ કે લાકડાંઓ છે, જેના દ્વારા મનોમયકોશરૂપી અગ્નિ નિત્ય પ્રદીપ્ત અને પ્રજવલિત રહે છે. આમ, નિત્ય નવી વાસનાઓ મનોમયકોશરૂપી અગ્નિને ભભકતો રાખી, આખા સંસારને તેની દાહકતાથી દુઃખી કરે છે. મનમાં ઉદ્ભવેલી ઇચ્છા અધૂરી હોય ત્યાં સુધી અપૂર્ણતાની આગ અંતરમાં બળતી રહે છે. ઇચ્છાપૂર્તિ માટે જ્યારે મનુષ્ય પ્રયત્નશીલ થાય છે, ત્યારે પરિશ્રમના અને થાકના દુઃખથી તે દાઝે છે. પ્રારબ્ધયોગે ભાગ્યપદાર્થની પ્રાપ્તિ થાય તો તેના ક્ષણિક સુખનો વિયોગ થતાં પુનઃ દાઝે છે. વિષયસુખની ભ્રાંતિથી ઠગાયેલો મનુષ્ય વારંવાર ભોગસુખને પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તેથી મનરૂપ વહ્નિ તેને નિરંતર, નિશદિન બાળતો રહે છે. માટે મનોમયકોશને નિત્ય સળગતા અને સંસારને સળગાવતા અગ્નિ જેવો કહ્યો છે.
| (છંદ-ઉપજાતિ) न ह्यस्त्यविद्या मनसोऽतिरिक्ता
मनो ह्यविद्या भवबन्धहेतुः । तस्मिन् विनष्टे सकलं विनष्टं
विजृम्भितेऽस्मिन्सकलं विजृम्भते ॥१७१॥
મનસ: .
= મનથી अतिरिक्ता
= જુદી દિ વિદ્યા ન મસ્તિ = ખરેખર અવિદ્યા નથી મન:
= મન
भवबन्धहेतुः
= સંસારબંધનનું કારણ