________________
૨૭૭
અત્રે તે જ વિચારના દઢીકરણ માટે બીજા શબ્દો વાપરી જણાવાયું છે કે આત્મા જન્મતો, વૃદ્ધિ પામતો, ક્ષીણ થતો કે વૃધ્ધાવસ્થાને પ્રાપ્ત કરી મરણ પણ પામતો નથી. તેથી સ્પષ્ટ છે કે આત્મામાં જન્મથી માંડી મૃત્યુ સુધીના કોઈ પણ વિકારો નથી. વિકારરહિત આત્મા સદા અપરિવર્તનશીલ રહે છે. માટે જ આત્મા નથી જૂનો થતો કે ન તો તે નવો થાય છે. આમ હોવાથી આત્મા સદા સર્વદા અફર, નિત્ય અને અવિનાશી છે. તે શરીરમાં રહેવા છતાં શરીરથી અસંગ રહે છે માટે શરીરના નાશમાં આત્માનો નાશ થતો નથી. જેવી રીતે ઘડો નષ્ટ થતાં તેમાં રહેલું ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ જાય છે પરંતુ નષ્ટ થતું નથી. ન તો ઘટાકાશ તે પ્રમાણે જન્મે છે, મરે છે કે આવ-જા કરે છે. પણ તેવું સર્વ કંઈ સાકાર અને નામી ઘડામાં જ જણાય છે. તેવી જ રીતે સ્થૂળ શરીરમાં જન્મ-મૃત્યુ અને આવાગમનના આંટાફેરા હોય છે પરંતુ આત્મામાં હોતા નથી.
| (છંદ-માલિની) प्रकृतिविकृतिभिन्नः शुद्धबोधस्वभावः
सदसदिदमशेष भासयनिर्विशेषः । . विलसति परमात्मा जाग्रदादिष्ववस्था
स्वहमहमिति साक्षात् साक्षिरूपेण बुद्धेः ॥१३७॥ प्रकृतिविकृतिभिन्नः = પ્રકૃતિ(કારણ) તેમજ વિકૃતિ(તેનાં
કાર્યથી) ન્યારો शुद्धबोधस्वभावः = શુદ્ધ જ્ઞાનસ્વરૂપ સત્ સત્ રૂટું ગશેષમ્ = સત અને અસત આ સર્વને भासयन्
= પ્રકાશતો निर्विशेषः परमात्मा = નિર્વિશેષ પરમાત્મા जाग्रदादिषु अवस्थासु . = જાગ્રત સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય
અવસ્થાઓમાં મદં મર્દ” રૂતિ = “હું, હું એવી રીતે