SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર નથી, તેવી જ રીતે અહંકારથી માંડીને શરીર સુધીના તમામ પદાર્થો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને તેના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા વિષયો, તદુપરાંત મન અને મન દ્વારા અનુભવાતું સુખ અને દુઃખ વગેરે આવું જ કંઈ છે, તે જ્ઞાનસ્વરૂપ આત્માની અનુપસ્થિતિમાં કે તેના અભાવમાં જાણી શકાય તેમ નથી. આત્માને લીધે જ ઉપરોક્ત સર્વનું અસ્તિત્વ જણાય છે. એટલું જ નહીં, તેમના દ્વારા થતાં અનુભવોનું જ્ઞાન પણ આત્માને જ આધીન છે. આમ સ્પષ્ટ છે કે આત્મા સિવાયના તે સૌને તેમના વિષયોને જાણવાની કે અનુભવવાની સ્વતંત્ર રીતે સત્તા કે સ્વતંત્રતા હોતી નથી. (છંદ-ઉપજાતિ) एषोऽन्तरात्मा पुरुषः पुराणो निरन्तराखण्डसुखानुभूतिः । सदैकरूपः प्रतिबोधमात्रो જેનેજિતા વારાસવશ્વરત્તિ રૂરૂા ઉષ: = આ વૈવરૂપ: = સદા એકરૂપ (અને) ઉત્તરાત્મા = અંતરાત્મા તિવો માત્રઃ = માત્ર જ્ઞાનસ્વરૂપ છે. પુરાણ: = અનાદિ એન = જેનાથી પુરુષઃ = પુજ્ય (છે) રૂષિતાઃ = પ્રેરાઈ , નિરન્તર- = (તે) નિરંતર વી = વાણી(વગેરે ઇન્દ્રિયો) વસુવાનુભૂતિઃ = અખંડ મસવ: = (અને) પ્રાણો સુખની અનુભૂતિ સ્વરૂપ વન્તિ = ચાલે છે. આ આત્મા પ્રાણીમાત્રના શરીરમાં અદેશ્ય અંતરાત્મા તરીકે રહેલો છે. તે અખંડ, અનંત સુખસ્વરૂપે અનુભવી શકાય તેવો છે અર્થાત્ ઇન્દ્રિયગમ્ય કે ઈન્દ્રિયોગથી જન્મીને નાશ પામનાર અંતવાન સુખ જેવું તે આત્મસ્વરૂપનું સુખ નથી. પરંતુ આત્મસુખમાં તો નથી ઉદય કે અસ્ત, નથી પ્રારંભ કે અંત, માટે તે આત્મસુખ તો નિરંતર, અખંડ અને અનંત છે. માટે જ તેને અતીન્દ્રિય, શાશ્વત સુખ કે પરમાનંદ “ETERNAL BLIss”
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy