SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ સર્વકાર- = (જ્યાં) બધી જાતનું સુપુતિઃ = સુષુપ્તિ(અવસ્થા) છે. પ્રતિપ્રશાન્તિઃ = જ્ઞાન શમી જાય છે, (કારણ કે) = (અ) અંતઃકરણની “વિશ્વિત્ જ મિ”- “હું કાંઈ વીનાત્મના પવિત્ર બીજરૂપે જ પણ જાણતો નથી” કવસ્થિતિઃ = અવસ્થિતિ હોય) તે તિ નરસિદ્ધ = એવી જગપ્રસિદ્ધ एतस्य = (જીવાત્મા)ની વિત્ત પ્રતીતિઃ = પ્રતીતિ (સર્વને) થાય છે. SLRBLARLZ (CAUSAL BODY) . પૂર્વ સ્થૂળ શરીર, સૂક્ષ્મશરીર, અંતઃકરણ, પ્રાણ, માયા તથા સત્ત્વ, રજસ અને તમસ જેવા ત્રણે ગુણોનું વિવેચન થઈ ગયા બાદ હવે બે શ્લોક દ્વારા કારણ શરીર પર વિવેચન કરવામાં આવે છે. સ્થળ અને સૂક્ષ્મ દેહ તો તેનું નામ શ્રવણ કરતાં જ એક પ્રકારની વિભાવના (CONCEPT) ઊભી કરે છે અને કોઈ અર્થ ગ્રહણ થાય છે. પરંતુ “કારણે” શબ્દ, તે કેવો દેહ હશે તેની કલ્પના પણ પૂરી પાડતો નથી. કારણદેહ', એવું શ્રવણ કરતાં કોઈ વિશેષ અર્થ પકડાતો નથી. તેથી સમજવાનું કે શા માટે તેને કારણદેહ એવું નામ અપાયું છે? * પૂર્વે ત્રણ ગુણવાળી અવ્યક્ત અવિદ્યાનું જે વર્ણન કરવામાં આવ્યું હતું તે જ જીવાત્માનું કારણ” નામનું શરીર છે. જેમ સ્થૂળદેહની જાગ્રત અવસ્થા તથા સૂક્ષ્મદેહની સ્વપ્ન અવસ્થા છે તેમ કરણશરીરની સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. આ સુપ્તિ અવસ્થામાં જાગ્રત અવસ્થા જેવા સ્થળ પદાર્થો સાથેનો વ્યવહાર જોવા મળતો નથી. તાત્પર્યમાં, સુષુપ્તિમાં ઈન્દ્રિયો અને તેની ભોગવૃત્તિઓ શૂન્ય થઈ જાય છે અને તે મનમાં લય પામે છે. મન પોતાની શંકા-કુશંકા સાથે મનથી સૂક્ષ્મ એવી બુદ્ધિમાં લય પામે છે. બુદ્ધિ, મન, ઇન્દ્રિયોને અને અંત:કરણની તમામ વૃત્તિને સાથે લઈ કારણદેહ અર્થાત ગાઢ અજ્ઞાનમાં લય પામે છે. માટે ત્યાં નથી વિષયજ્ઞાન, નથી મન કે બુદ્ધિજનિત અનુમાનજન્ય જ્ઞાન આમ, સુષુપ્તિની અવસ્થામાં નથી કોઈ વૃત્તિ કે નથી વિષય કે ભોગને લગતું કોઈ પણ પ્રકારનું જ્ઞાન, કારણકે ઇન્દ્રિયો તથા મન-બુદ્ધિ બધાં જ આવી અવસ્થામાં ક્રિયાશૂન્ય થઈ જાય છે. માટે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy