________________
૨૫૬
સ્તમ્ભવત્ વ = અને થાંભલા જેવો જ तिष्ठति
= રહે છે. અભાવના, વિપરીતભાવના જેવી અનાત્મભાવના
હવેના બે શ્લોક દ્વારા અનુક્રમેષિક્ષેપ અને આવરણશક્તિનું સમાપન કરતાં જણાવાયું છે કે ઉપરોક્ત બે શક્તિના લીધે જ મનુષ્યમાં અભાવના, વિપરીતભાવના, સંભાવના, વિપ્રતિપત્તિ, અજ્ઞાન, આળસ, મૂઢતા વગેરે જન્મ છે, અને તેના લીધે જ મનુષ્ય, અધોગતિ કે વિનાશને પથે જાય છે. તેમજ આવી શક્તિથી ગ્રસિત થયેલો પુરુષ તેવી શક્તિને લીધે જજન્મ-મૃત્યુજેવા ચક્રમાં અથડાયા, કરે છે.
(૧) અભાવના : ઈશ્વર, બ્રહ્મ કે આત્મા જેવી કોઈ પણ વસ્તુ વ્યક્ત કેદેશ્ય નથી માટે તેમનું અસ્તિત્વ સંભવ જ નથી. આવી નકારાત્મક મનોવૃત્તિને અસંભાવના કે અભાવના કહેવામાં આવે છે.
(૨) વિપરીતભાવના : રજોગુણની વિક્ષેપશક્તિના લીધે મનુષ્ય જે આત્મા નથી તેને આત્મા માની બેસે છે. આત્મભાવના દ્વારા ચિંતન કરવાનું છોડી અનાત્માનું અર્થાત જડ, જન્મેલા અને નાશવાન શરીરનું જ આત્મભાવે ચિંતન કરે છે અને શરીરને જ ભ્રાંતિમાં આત્મા માની બેસે છે. આવી અનાત્મભાવનાને વિપરીતભાવના કહેવાય છે.
(૩) સંભાવના : શાસ્ત્રના જ્ઞાનમાં સંશય રાખવો તેને સંભાવના કહે છે. દા.ત. શાસ્ત્ર કહે છે કે જીવ અને બ્રહ્મ એક જ છે. છતાં અનેક જીવોને સુખી દુઃખી થતાં જોઈને કોઈ એવું વિચારે કે જીવ અને જગતનો નિયતા ભિન્ન હોવાનો સંભવ છે, અર્થાત જુદા પણ હોઈ શકે છે. આવી મનોવૃત્તિને સંભાવના કહે છે.
(૪) વિપ્રતિપત્તિ : જ્ઞાની કે સંતોનો ઉપદેશ સાચો હશે કે કેમ? જ્ઞાન માટે સદગુરુ કે આચાર્ય આવશ્યક હોઈ શકે? વેદ, સ્મૃતિ કે શ્રુતિની વાતો સત્યકે પ્રામાણિક છે?તેની સત્યતા સંભવી શકે? હજારો વર્ષો પૂર્વે અપાયેલ ગીતોપદેશ