SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ જપ-મંત્ર મુમુક્ષુએ પોતે જ કરવાના હોય છે. દક્ષિણા આપી અન્ય બ્રાહ્મણની પાસે મંત્રાદિ કરાવવાથી સાધક મુમુક્ષુ એવા તે શેઠને, ચિત્તશુદ્ધિનું ફળ મળે નહીં. તે જ પ્રમાણે જે કોઈ નિષ્કામકર્મ જાતે કરે તેને જ ચિત્તશુદ્ધિનું ફળ મળે, અન્યને નહીં. તે જ રીતે, પૈસાપાત્ર કે શ્રીમંતોને ઘેર રામાયણ, ભાગવત કે ગીતા વાંચવા માટે પગારદાર પંડિત રોકવામાં આવે છે. તેથી કંઈ શ્રીમંતોની ચિત્તશુદ્ધિ થાય નહીં. ઘ૨માં માત્ર સાત્ત્વિક વાતાવરણ ઉત્પન્ન થશે, તેવી ભ્રાંતિરૂપી શાંતિ જ તેમને મળતી હોય છે. આમ, ચિત્તશુદ્ધિનું નાનું કાર્ય પણ જાતે જ કરવાની સલાહ આપવામાં આવે તો પછી આત્મસાક્ષાત્કાર માટે તો વ્યક્તિનો પોતાનો પુરુષાર્થ આવશ્યક નહીં બલકે અનિવાર્ય હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેવા સ્વપ્રયત્ન વિના આત્મજ્ઞાન કે મુક્તિરૂપી નિત્ય ફળ કોઈને કદાપિ હસ્તગત થઈ શકે નહીં. (છંદ-અનુષ્ટુપ) यस्त्वयाऽद्य कृतः प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः । सूत्रप्रायो निगूढार्थो ज्ञातव्यश्च मुमुक्षुभिः ॥६६॥ निगूढार्थः = ૧૯૦ યૂઃ त्वया अद्य प्रश्नः कृतः તેં = હમણાં પ્રશ્ન કર્યો च (તે) શ્રેષ્ઠ मुमुक्षुभिः वरीयान् શાસ્ત્રવિન્મતઃ- શાસ્ત્રવેત્તાઓને માન્યજ્ઞાતવ્ય: સૂત્ર જેવો (અને) सूत्रप्रायः = g = = = = = અત્યંત રહસ્યમય અર્થવાળો, (છે.) અને (તે પ્રશ્ન) મુમુક્ષુજનોએ સમજવા જેવો . (છે.) પ્રશ્નવિચાર અત્રે સદ્ગુરુની કરુણાસભર દૃષ્ટિ શિષ્યને પ્રોત્સાહિત કરતાં અનંત શ્રદ્ધામાં દઢીભૂત ક૨વા જણાવે છે કે, હે શિષ્ય! તેં સર્વોત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તત્ત્વજ્ઞાનીઓ આવા પ્રશ્નને જ શ્રેષ્ઠ અને અધિકારીનો પ્રશ્ન ગણાવે છે. તારા પ્રશ્ન દ્વારા જ તેં તારો જ્ઞાનપ્રાપ્તિનો અધિકાર કે ભૂમિકા અભિવ્યક્ત કરી છે. વાસ્તવમાં તો તારો પ્રશ્ન ગહન-ગંભીર અર્થોથી સભર
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy