________________
એવું સાંભળતાની સાથે જ પેલો કાપાલિક શસ્ત્ર છોડી પળવારમાં પલાયન થઈ ગયો. અબળાને સબળ સહારો આપનાર યુવાન સાધુ તે સ્ત્રીને સંબોધીને કહેવા લાગ્યો કે, “દેવી તો જગતજનની છે, તે તો વાત્સલ્યમૂર્તિ છે, તે કંઈ લોહી તરસી નથી, માટે હે માતા! તું ભયમુક્ત થા અને દેવીના આશીર્વાદ માગ.” યુવાન સાધુના આવા વચન સાંભળતાની સાથે જ અબળા જાણે સબળા થઈ, તેની આંખોમાં જાણે સૂર્યોદયના તેજ ઝળહળી ઊઠયાં, મસ્તક ગર્વથી ઉન્નત થયું, બલિનો બકરો બનેલી, નત મસ્તક ઊભેલી ભીરુ સ્ત્રી, છૂટા વાળને કેશવાળી જેમ ઊંચા કરી ગર્વથી અભય બની, પેલા યુવાન સંન્યાસીને મનોમન નમન કરી ચાલી નીકળી. એ યુવાન સાધુ અન્ય કોઈ નહોતો, એ હતા નાની ઉંમરે આખા બ્રહ્માંડને પોતાની અંદર પરિભ્રમણ કરવાની રજા આપનાર આદિ શંકરાચાર્ય.
આદિ શંકરાચાર્યજીના મનમાં ઉપરોક્ત પ્રસંગથી પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું આ મૂર્તિ જગતજનની હોય? જેને મા કહેવાય તે શું ભોગ માગે? જગતજનની શું લોહીતરસી હોય? આવા અનેક પ્રશ્નો ઊભા થયા અને મનોમંથન શરૂ થયું. સાકાર, દેશ્ય, શેય તથા ઇન્દ્રિયગમ્ય મૂર્તિ શું પરમતત્ત્વ હોઈ શકે? એ મનોમંથનમાંથી જે તારતમ્ય, નિષ્કર્ષ અને નિચોડ, નવનીતની જેમ ઉપર તરી આવ્યો તેને શંકરાચાર્યજીએ સમાજના લોકો તરફ દષ્ટિ કરી જાહેર કર્યો. સત અને અસતનો, વ્યક્ત અને અવ્યક્તનો, નામી અને અનામીનો, સગુણ અને નિર્ગુણનો, નિરાકાર અને સાકારનો ભેદ પારખવાની જે શક્તિ છે તેને શાસ્ત્રની પરિભાષામાં વિવેક કહેવામાં આવે છે. ભગવાન શંકરાચાર્યજીએ આ વિવેકની સરિતાને વહેતી કરી અને સમજાવ્યું કે જે મૂર્તિ છે, અર્થાત્ જે દશ્ય,વ્યક્ત કે મૂર્તિ છે, માત્ર તે જ ઈશ્વર નથી. ઈશ્વર નિરાકાર છે, અનામી છે, અવ્યક્ત છે, સચરાચર છે અને જડ-ચેતન સર્વનું અધિષ્ઠાન છે. સર્વવ્યાપ્ત ઈશ્વર, કયાંય ન હોય તેવું નથી. એવો કોઈ પદાર્થ નથી જેમાં તે ન હોય, અને જો સર્વત્ર હોય તો મૂર્તિમાં પણ હોય જ. પરંતુ મૂર્તિ એ જ પરમાત્મા’, ‘મૂર્તિ એ જ ઈશ્વર”, “મૂર્તિ એ જ પરબ્રહ્મ' એવી ભ્રાંતિમાંથી સમાજને બેઠો કરવા તેમણે સત્યાસત્યના વિવેકને જાગૃત કરી જાહેર કર્યું કે મૂર્તિમાં પરમાત્મા હોઈ શકે પરંતુ મૂર્તિ જ પરમાત્મા