SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પૂછીને જાણ. તત્ત્વને જાણનારા જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ આપશે.” જે કોઈ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રદ્ધાયુક્ત થઈ, સંદેહમુક્ત બની, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણમાં પોતાનું જીવન સમર્પિત કરશે, તો તેવા વ્યક્તિ ગુરુકૃપાનું પ્રિય પાત્ર બનશે. કૃપાપાત્ર શિષ્ય સાચા હૃદયથી ગુરુસેવામાં રત રહેશે તેમજ ગુરુભક્તિમાં સંલગ્ન હશે તો તેના અજ્ઞાનનો ઉચ્છેદ કરી ગુરુ તેને સ્વયં એક દિવસ ગુરુ તરીકે જાહેર કરશે. આવી શ્રેષ્ઠ ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જઈ કેવી નમ્રતા, પ્રાર્થના કે ભાવના સેવવી જોઈએ તથા કેવા પ્રકારનો વાર્તાલાપ કરવો જોઈએ તે કરુણાસાગર એવા સદ્ગુરુ શંકરાચાર્ય હવે પછીના શ્લોકમાં આપણને જણાવે છે. (છંદ-ઇન્દ્રવજા) शिष्य उवाच स्वामिन् नमस्ते नतलोकबन्धो कारुण्यसिन्धो पतितं भवाब्धौ । मामुद्धरात्मीय कटाक्षदृष्ट्या ऋज्च्यातिकारुण्यसुधाऽभिवृष्ट्या ॥३७॥ શિષ્ય બોલ્યો સ્વામિન્ = હે સ્વામી! મતિરુખ્યસુધામવૃક્ષ્યાંક અત્યંત નાનોવો = શરણે આવેલા કરૂણારૂપી અમૃત વરસાવતી લોકના બંધુ 2 વાતૃશ્ય = સરળ છા સિન્હો = હે દયાના સાગર અને કટાક્ષદષ્ટિથી નમ: તે = તમને મવાધ્ધો = ભવસાગરમાં નમસ્કાર હો પતિતમ્ = પડેલા માત્મીય = તમારી મામ્ ઉદ્ધર = મારો ઉદ્ધાર કરો. વિનમ્રતાપૂર્વક ભક્તિભાવ સાથે, શ્રદ્ધાસભર મન વડે ગુરુચરણે મસ્તક ઝુકાવી ભવસાગરને પાર કરવા ઇચ્છનાર મુમુક્ષુએ પ્રાર્થના કરવી જોઈએ કે, “હે પ્રણતજનબંધુ! હે દયાસિંધુ! આપને નમસ્કાર હો. હે મારા
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy