________________
૧૨૩
ઉપદેશ છે કે આત્મજ્ઞાનને પંથે પ્રસ્થાન કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુ માટે માત્ર શ્રોત્રિય ગુરુ કામ ન આવી શકે અને તે જ પ્રમાણે કોઈ શાસ્ત્રજ્ઞાનથી વંચિત હોય અને માત્ર બ્રહ્મનિષ્ઠ હોય તેવા ગુરુનું માર્ગદર્શન પણ ઉપયોગી થઈ શકે નહીં. માટે જ કહ્યું છે કે, “અજ્ઞાન નિર્મૂળ કરી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે જવું જોઈએ કે જેથી અધ્યાત્મને માર્ગે આગળ વધવા શાસ્ત્રને સહારે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે અને જે ઉચ્ચતમ સત્યને ગુરુ પામી ચૂક્યા હોય તે અંતિમ લક્ષ્ય સુધી શિષ્યને પણ પહોંચાડી શકે.
ગુરુનો પરિચય આપતાં શંકરાચાર્યજી આગળ વર્ણવે છે કે ગુરુ મવૃનિનઃ' અર્થાત્ નિષ્પાપ હોવા જોઈએ. અત્રે પ્રશ્ન એ થાય છે કે ગુરુ તો પાપી હોઈ શકે જ નહીં તો પછી તેમને નિષ્પાપ હોવાનું શા માટે જણાવ્યું હશે? અત્રે પાપનો અર્થ દુષ્કૃત્ય નહીં પરંતુ મોટામાં મોટું પાપ એ અજ્ઞાન છે તે અર્થમાં નિષ્પા૫ અર્થાત અજ્ઞાનરહિત જણાવાયું છે. ગુરુનું અન્ય લક્ષણ દર્શાવતા જણાવાયું છે કે ગુરુ “માહિતઃ' અર્થાત્ કામનાઓથી મુક્ત હોવા જોઈએ. જેની પાસે જે હોય તે જ બીજાને આપી શકે. જે વ્યક્તિ સ્વયં કામનાથી મુક્ત થયો હોય તે જ અન્યને પણ નિષ્કામ બનાવી શકે તથા જે સ્વયં મુક્ત હોય તે જ બીજાને મુક્તિનો સંદેશ આપી શકે. માટે જ કહ્યું છે કે “સ્વય તીઃ પરનું તારયતિ ” જે પોતે કરેલો હોય તે જ બીજાને તારી શકે. આમ, જે અશાંત હોય તે બીજાને અશાંતિ સિવાય કંઈ પણ આપી શકે નહીં પરંતુ જે વ્યક્તિ શાંત હોય તે અન્યને પણ શાંતિ બક્ષે છે. તેથી જ અત્રે જણાવ્યું છે કે ગુરુ નિષ્કામ હોવા જોઈએ કે જેથી શિષ્યની વાસનાને પણ નિર્મૂળ કરી શકે. આવા નિષ્કામ, નિષ્પાપ, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુના સ્વભાવને જણાવતાં તેમને બળતણ વગરના અગ્નિની ઉપમા આપી જણાવ્યું છે કે, “સ: નિરિન્થનઃ મનનઃ રૂવ શાન્તઃ !” તે ગુરુ બળતણ વગરના અગ્નિ જેવા શાંત સ્વભાવના હોય છે. બ્રહ્મનિષ્ઠ ગુરુનું મન બ્રહ્મચિંતનમાં જ રમણ કરતું હોય છે. તેવા આત્મરત નિર્ગુણ બ્રહ્મમાં સ્થિત હોવાથી, ચિત્ત