________________
સમગ્ર ગ્રંથનો પરામર્શ કરતાં પ.પૂ. સ્વામીજીની ચોક્સાઈનો આગ્રહ નોંધપાત્ર છે. શબ્દોની પસંદગી, ગોઠવણી, તત્ત્વાર્થ, દષ્ટાંત વગેરે સહજ રીતે આવે છે, છતાં કશું જ ચકાસ્યા વિના આગળ વધવું નહીં તેમ સતત લાગ્યા કરે છે. એમને સંતોષ ન થાય તો ઘણીવાર કશુંક છપાતું અટકાવવું પડે અથવા ફરીથી છાપવું પડે. એ તો ઠીક પણ કવરપેજની ડિઝાઈન અને રંગને અનેકવાર ચકાસવા પડે, પરંતુ ગુણવત્તાને ભોગે તેઓ કશું જ દરગુજર કરવા ટેવાયેલા નથી. આ એક બાબતમાં તે કોઈની પણ સાથે સમાધાન કરવામાં માનતા નથી.
વેદાંતના અતિ વિસ્તૃત અને મહત્ત્વના ગ્રંથનું સંપાદનકાર્ય સાંપડવું, તે જ તો પ.પૂ. ગુરુદેવના આશીર્વાદનો પર્યાય છે, ઉત્સાહપૂર્વક કાર્ય થાય એ તેમણે પ્રદાન કરેલી પ્રેરણાનું વાચક છે અને કાર્ય દરમ્યાન પ્રાપ્ત થતી સ્વાત્મનિષ્ઠા, એ એમના અપરંપાર અનુગ્રહનો આવિર્ભાવ છે. સંપાદનકાર્યની નિર્વિને સમાપ્તિ, એ જ ઈશ્વરની કૃપા પ્રાપ્તિનો સંકેત
આ સત્કાર્યમાં નિમિત્ત બનવાથી મારા દ્વારા ગ્રંથના વિષયને કે ટીકાકારની ટીકાને જો યોગ્ય ન્યાય ન મળ્યો હોય તો મારી સૂઝ કે સમાજને સહૃદયતાથી સહન કરવા નિવેદન છે. આત્મકલ્યાણને પંથે મદદરૂપ બની આ ગ્રંથ સૌ મુમુક્ષુઓને જીવનની કૃતકૃત્યતા ઉપલબ્ધ કરાવે, તેવી નમ્ર પ્રાર્થના સાથે પ.પૂ. ગુરુદેવને પ્રણામ કરી, મારું અહોભાગ્ય અભિવ્યક્ત કરું છું.
અસ્તુ.
તન્મયાનંદ