________________
૧૦૪
થવો જોઈએ પરંતુ તેવું બનતું નથી.
તદુપરાંત આત્મા નિત્ય મુક્ત છે તેથી આત્માને પણ બંધન હોઈ શકે નહીં. છતાં પણ આપણો રોજબરોજનો બંધનનો અનુભવ છે તેથી સ્પષ્ટ થાય છે કે તે મન દ્વારા કલ્પિત છે. પોતાના આત્મસ્વરૂપના અજ્ઞાનને કા૨ણે બંધનનો ભાવ મનમાં પેદા થાય છે. તેથી બંધનનું મૂળ અજ્ઞાન છે. તેથી જો અજ્ઞાનનો નાશ કરવામાં આવે તો તેના કાર્યનો અર્થાત્ તજન્ય બંધનની કલ્પનાનો પણ નાશ થઈ શકે તેમ છે. જેવી રીતે અંધકારનો નાશ ક૨વા માટે તેનો અત્યંત વિરોધી એવો પ્રકાશ જ જરૂરી છે. પ્રકાશ સિવાય અન્ય કોઈ ઉપાય વડે અંધકારને દૂર કરી શકાય તેમ નથી. તે જ પ્રમાણે અજ્ઞાનનો નાશ કરવા માટે પણ તેનું પૂર્ણ વિરોધી એવું જ્ઞાન જ પ્રાપ્ત કરવું પડે. જ્ઞાનપ્રાપ્તિ સિવાય અન્ય કોઈ ઉપાય વડે અજ્ઞાન દૂર થઈ શકે નહીં. સિદ્ધાંત પણ એવું જ સમજાવે છે કે બે પૂર્ણ વિરોધી એક સાથે એક સ્થળે ટકી શકે નહીં; પ્રકાશ આવતા અંધકાર ટકી શકતો નથી તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન અનાયાસે જ દૂર થઈ જાય છે. તેથી જ અત્રે જણાવાયું છે કે અજ્ઞાનજન્ય કલ્પિત બંધનમાંથી આત્મસ્વરૂપના જ્ઞાન વડે મુક્ત થવાની ઇચ્છાને જ ‘મુમુક્ષા’ કહેવાય છે. ‘ઞજ્ઞાનન્વિતાનું વક્થાત્ (વન્ધનાત) स्वस्वरूपावबोधेन मोक्तुम् इच्छा मुमुक्षुता ।'
હવે અજ્ઞાનને કારણે બંધન કેવી રીતે જન્મે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. મને મારા સત-ચિત-આનંદસ્વરૂપ નિરાકાર તત્ત્વનું જ્ઞાન નથી તેથી જ મેં દૃશ્ય, સાકાર અને જડ શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું. હું સ્વરૂપે અદૃશ્ય, અવિકારી, અજન્મા, અવિનાશી આત્મા હોવા છતાં સ્વરૂપના અજ્ઞાનને લીધે મેં મને દેશ્ય, વિકારી, નામી તથા જન્મેલું અને વિનાશશીલ શરીર માની લીધું. આમ, અજ્ઞાનને કારણે મને સૌ પ્રથમ ‘હું શરીર છું’ એવું ખોટું દેહ–તાદાત્મ્ય થઈ ગયું. અનેક જન્મોના અભ્યાસથી આ દેહ-તાદાત્મ્ય એટલું સઘન થઈ ગયું કે હવે તો શરીર જ ‘હું’ છું એવી મારી માન્યતામાંથી હું મુક્ત થઈ શકું તેમ નથી. શરીરને જ હું માનવાની દૃઢ માન્યતાને કારણે