________________
પદ્મિની
રાજ્યલક્ષ્મીએ સ્વીકારેલા ભ્રષ્ટાચાર અમારા કુળધમ ના વિનાશ કરે, અને અમારા નૈતિક અધઃપાત થાય. જગતની દૃષ્ટિએ અમેનાશ પામ્યા હશું! ઇતિહાસકારા લખશે કે એવ′? રાજપૂત કુળગૌરવમાં ધૂળભેગા થઈ ગયા, અને એમની અનાથ અમળાએ ઉપર અત્યાચારાના ડુંગર ઉગ્યા. છતાંય જગતની એ હાંસી વચ્ચે અમારું ચારિત્ર્ય અસ્પૃષ્ઠ અને અલૌકિક રહેશે. અને ભયંકર વિનિપાત અને પ્રલયકારી આપત્તિઓમાં પણ અમારી પ્રજામાં એ ચારિત્ર્યબળ, તેજસ્વિતાનું એક એવુ' સુષુપ્ત બિન્દુ મૂકી જશે કે કોઇ દિવસ, જ્યારે અમારા ફરી અરુણાદય થશે, ત્યારે સહસ્ર સવિતાની જેમ એ ભભૂકી ઉઠશે અને જગતને આંજી દેશે.
કાજી
મંત્રીશ્વર, રૂઢીએ ઉભી કરેલી ગારવની ઈંદ્રજાળમાં અને પૂર્વજોએ રટી રટીને રૂઢ કરેલી શબ્દોની મેહજાળમાં તમે પણ સાઇ પડશેા એમ મેં ન્હોતું ધાર્યું. જગતની શાંતિ તલવારાની પટ્ટાબાજીઓથી નથી સ્થાપવાની, જુના ગૌરવને સભારી સંભારી આપણે કયાં સુધી એક બીજાનાં ગળાં
૫૭