________________
[ સ્થલકાલઃ બાર દિવસ પછી ચિતોડગઢના રાજમહાલયની ચંદ્રશાળામાં નમતા બપોર.
રોજ રોજ એક એક રાજકુમાર યુદ્ધે ચડે છે અને પડે છે. -
- કોટની બહાર તુમુલ યુદ્ધ ચાલે છે. એક પછી એક ગઢ ઉપર હલાઓ થાય છે. અને રાજપૂતો “હરહર ! મહાદેવ”
જય એકલિંગજી!” “જય દેવી ચતુર્ભુજાને જ્ય!' એવા નાદો કરી યવનોને સામને કરે છે. ક્ષણ બે ક્ષણમાં તે
અલ્લા હો અકબર !” ના ગગનભેદી અવાજે ગાજી ઉઠે છે, અને તેમાં રાજપૂતોના નાદે દટાઈ જાય છે. પાછી થોડીવાર શાંત છવાય છે, અને ઘવાયેલા સૈનિકોની ચીસ સ્પષ્ટ થાય છે. પાછે હલ્લો થાય છે, પાછી શાંતિ છવાય છે. અંકના અંત સુધી આ ચક્ર ચાલ્યા કરે છે.
૧૦૩