________________
૪૫
.
હવે પૂ. ચરિત્ર નાયકને ઉદ્દેશીને મગનભાઈ જણાવે છે કે –“ભાઈ હેમચંદને માલુમ થાય જે કાગળ લખવામાં બે દિવસની ઢીલ થઈ છે, તેનું કારણ કે મારા શરીરે બાદી થઈ આવી હતી, તેથી ઢીલ થઈ છે. હવેથી સારું છે. અમારી તરફની કંઈ ફિકર કરશે નહીં.”
તમારા શરીરને જાપતે રાખજો! કઈ રીતે હેરાન થશે નહીં ! પૈસા જોઈએ તે પ્રમાણે મંગાવ ને જેમ મહારાજ સાહેબ કહે તેમ બરોબર રીતે વર્તશે કે જેથી પરિણામે અને તે હિત-લાભ થાય.
ગુરુમહારાજા સર્વોપરિ નિષ્કારણ બંધુ છે. તેઓનું જે કહેવું છે, તે સર્વે આપણા હિતને સારું છે. પરમાર્થ દાવે છે. તે સર્વે અમૃત ભેજની જેમ ઉલ્લાસથી અંગીકાર કરશે. તેમાં તમોને વિશેષ લખવું પડે તેમ નથી. થોડું લખ્યું ઘણું કરીને જાણ
એજ સંવત ૧૯૪૭ ના માગસર સુ ૧૪ વાર ગુરુ.” લી. આપના ચરણ-કમળની સેવાનો સદાઈછુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશેજી. કાગળને ઉત્તર તુર્ત લખશોજી. કપડવંજ તરફ પ્રભાતને નીકળી જઈશ.”
SES2SES
4S2S2SC2S2252SPS2PSPFS2S2S4 B વિ.સં. ૧૯૪૭ માગ. સુ. ૧૪ કાસીંદ્રાથી શાહ કાલા મૂળજીને આ - શ્રી હેમચંદભાઈ (પૂ. આગમો. શ્રી સંસારી પક્ષે)ને
લખેલ પત્ર (૧૧)
ASESSES
“ભાઈ હેમચંદ મગનલાલને ચિરંજીવી પરમેશ્વર ઘણા વરસ રાખે. કાસીંદ્રાથી લી. શાહ કાલા મૂળજીના ઘણા હેતે યથાયોગ્ય પ્રણામ વાચજો. લખવાનું કે હું ચૌદશે સવારના ૯ વાગે કાસીંદ્રા પહોંચ્યો છું, ઘડી ઘડી સાંભળે છે ! વિશેષ આપ ભણવામાં ઉદ્યમ સારે રાખજો કે જેથી તરશે. બીજુ તરવાનું જહાજ એજ જ્ઞાન છે, માટે જગ સારો છે. વિશેષ ગાંડપણ કરશે નહીં. હમણું ભણવાને ઉદ્યમ રાખજે. કાગળ મારા પર ખુશીના તસ્દી લઈ લખતા રહેજે. બસ મને હેતથી જહાર વંચાવજે. મણિ વિ. વિહાર કરી આવવાને કાગળ આવે એટલે મને પત્ર લખજે.