________________
TUDTEELCAS
તે પ્રમાણે તપાસ કરી સાંઢણી મારફત અમરેલી-ગારીયાધર-બે ટાદ થઈ ચોથે દિવસે માગશર સુદ ૭ બપોરે બે થી ત્રણ ના ગાળામાં લીંબડી પહોંચ્યા. પૂજ્યશ્રી પાસે જઈ યાત્રાની બધી વિગત જણાવી.
પૂજ્યશ્રીએ યાત્રાની વિગતમાં ધબકતા સંયમ પ્રત્યેના અભાવને પારખી ૫ ચરિત્રનાયકશ્રીને કહ્યું કે-“મહાનુભાવ! ઉતાવળના કડવા ફળ એક વાર ચાખ્યા છે. માટે ધીરજની જરૂર છે ! તમને નિકાને આઠ-દશ દિવસ થયા છે. તમારા શ્વસુરપક્ષની ધમાલ કેવી રહે છે! તે ઉપર નિર્ણય થઈ શકે !!!”
તે દરમ્યાન તમે શાંતિથી અહીં રહે! ધાર્મિક અભ્યાસ કરે અને અંતરને વધુ મજબૂત બનાવે.” આદિ કહી તેઓએ ગભીર આશ્વાસન આપ્યું.
પૂ. ચરિત્રનાયકશ્રીએ “આજ્ઞા એ સંયમ જીવનને પ્રાણ છે” એ વાતના મર્મને પારખી મનની સક્રિયતાને ડામી આજ્ઞા મુજબ વર્તવા નિર્ધાર કર્યો.
સવાર-સાંજ પ્રતિક્રમણ, રોજ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, ત્રિકાળ દેવવંદન, રજના છ-સાત સામાયિક અને ધાર્મિક-અભ્યાસ સાથે ગુરુમહારાજની શુશ્રષા આદિથી જીવનને પાવન બનાવી રહ્યા.
૫. ચરિત્રનાયકશ્રી બેઠવણ પ્રમાણે તારક ગુરુદેવશ્રીનું શરણું ફરીથી લાધી ગયાની મસ્તીમાં આનંદવિભોર બની ગયા લાગે છે કે જેથી પિતે જુનાગઢ થઈ લીંબડી આવી ગયાના સમાચાર કપડવંજ લખવું ભૂલી ગયા લાગે છે.
આ વાત નીચેના પત્ર પરથી પ્રતીત થાય છે
પરમ ઉપકારી મુનિ મહારાજા ઝવેરસાગર સાહેબ કપડવંજથી લી, ગાંધી મગનલાલ ભાઈચંદ આપની ચરણ કમળની સેવાના ઈબુકની વંદના ૧૦૮ વાર અવધારશે,
અરે ય ગ્ય દેવ-ગુરુપસાયથી સુખશાતા વર્તે છે. આપની સુખશાતાનો પત્ર કપ કરીને લખજે.
જુનાગઢ ગયેલ માણસ જરૂર આપની પાસે આવવાનું હતું તે આપની પાસે આવ્યું હશે.
અગર જુનાગઢ પહોંચ્યાને જવાબ આજ સુધી બિલકુલ આવેલ નથી તેથી ઘણી જ ફિકર થાય છે,
આ ગામોમાં કારક
: