SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ THUVUN श्री वर्धमानस्वामिने नमः Sub. , ' ૨ ૪૨ છે પૂ. ચરિત્રનાયકશ્રીની ચારિત્ર–ગ્રહણની 8 તીવ્ર આતુરતા છતાં સંયોગોની પ્રબળ ભીંસ પૂ. ચરિત્રનાયકશ્રી દેવ-ગુરુકૃપાએ હેમખેમ અમરેલી થઈ જુનાગઢ પહોંચ્યા. ત્યાં શેઠશ્રી હેમાભાઈની ધર્મશાળામાં રાત રહી શ્રી ગિરનાર તીર્થની બધી માહિતી મેળવી. જુનાગઢના ઉપલા-કેટ બજારના ચૈત્યેની ભાવભરી યાત્રા કરી સાંજે તલેટીએ ધર્મ શાળાએ જઈ સૂઈ ગયા. બીજા યાત્રાળુઓ સાથે માગશર સુ ૩ ગુરુવારે ઉમંગભેર ગરવા ગિરનાર-ગઢની સ્પર્શના કરી વિષય-વાસનાના વિજેતા અજોડ-બ્રહ્મકારી શ્રી નેમિનાથ-દાદાની ચઢતા-પરિણામે સંયમની જહદી પ્રાપ્તિ થાય તેવી ભાવનાથી અષ્ટપ્રકારી પૂજા કરી ચૈત્યવંદન આદિ કરી છે શ્રી ગિરનાર મંદન-શ્રી નેમિનિનવરાવ નમઃ”ની ૨૦ માળા ગણી સાંજે ૬ વાગે નીચે આવી ગયા. જુનાગઢમાં રહેવા વગેરેની સગવડ સારી હતી. એટલે શ્રી ગિરનાર તીર્થની બીજી બધી ટૂંકોની યાત્રાને વિચાર હોવા છતાં પૂ. ચરિત્રનાયકશ્રીએ જેમ બને તેમ પૂ ગુરુદેવશ્રીની નિશ્રામાં ઝટ પહોંચી તેઓ કહે તે રીતે સંયમ અંગેની પૂર્વ તૈયારી કરવાના શુભ-ઈદાથી જલ્દી લીંબડી પહોંચી જવા વિચાર્યું. * જૂના સંગ્રહમાંથી એક પત્ર જેના પર લેખન સંવત વગેરે મળેલ નથી, પણ સરનામું હેમચંદ લક્ષ્મીચંદની પેઢી છે. તે જુનાગઢમાં તીર્થને વહીવટ કરનારી પેઢીનું નામ છે. એટલે અનુમાન થાય છે કે- મગનભાઈએ એક પત્ર જુનાગઢ હેમચંદ લક્ષ્મીચંદની પેઢીના સરનામે લખેલ હશે. પણ તે પૂ. ચરિત્રનાયકશ્રીને મળ્યો લાગતો નથી. કેમ કે તેના પર પુરબાઈ જૈન ધર્મશાળા લીંબડીનું સરનામું પણ છે કદાચ જુનાગઢથી રિટર્ન થઈ લીંબડી મો હશે. આ પત્ર પૂરે પરિશિષ્ટમાં છાપેલ છે, પણ આ પત્રમાં જુનાગઢથી તુર્ત લીંબડી જવાને ઈશારે છે. વળી ભણવાની તાલાવેલી પુ. ચરિત્રનાયકશ્રીની ઘણી છે તે પૂ. મણિવિજયજી મ ખંભાત કે જ્યાં હોય ત્યાં પહોંચી જવાની ભલામણ કરી છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy