________________
AMBULANTA
હવે મારું સંતાન ઠોકર ખાઈને શાણપણના રાહે આવેલ છે. એટલે આજ્ઞાનિષ્ઠતામાં હવે ખામી નહીં આવે, વગેરે આજીજીભરી-વાતેથી પૂજ્યશ્રીના હૈયાને ચરિત્રનાયકની દીક્ષા માટે ધરપત આપી.
પણ પૂજ્યશ્રી જરા ગંભીર બની આંખ મીંચી ગંભીર-મુદ્રાએ સ્થિર થઈ ગયા, થોડીવારે જાણે ધ્યાનમાંથી જાગૃત થવાની જેમ ગંભીર સ્વરે બોલ્યા કે
ભગત ! “દયને બળેલ છાશ ફેંકીને પીયે.” ની જેમ જે તમારી પર અને હેમચંદ પર ભાવીયેગે જે વીત્યું છે, તેનું પુનરાવર્તન ન થવા પામે એ વિચારવું ખાસ જરૂરી છે !
તમારા વેવાઈ અને મહઘેલા સ્વજન-વર્ગને ઊભરો શમે નહીં, ત્યાં સુધી ઉતાવળું પગલું વધુ અનિષ્ટ વધારી મુકે.
માટે હજી થડે કાળ-વ્યાક્ષેપ કર વ્યાજબી છે !” ' એમ કહી મગન-ભગતને ધીમેથી બધી વાત સમજાવી કે એક વાર, ભૂલ-ભરેલા પંથે જઈ ઠોકર ખાધા પછી વળી પાછા તે જ રસ્તે ડગલાં ભરવાં વ્યાજબી નહીં,” આદિ.
મગનભાઈએ પૂજ્યશ્રીની વાત ખૂબ જ અગમચેતી ભરી સમજી હેમચંદભાઈને ટૂંકમાં સમજણ પાડી પોતે પાલીતાણા યાત્રા કરવા જવાનું વિચાર્યું.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીની સૂચનાનુસાર સંયમની સાધના પંથે આડા આવી રહેલા અંતરાય-કર્મને હઠાવવા પૂ. ચરિત્રનાયકશ્રીને પણ તરણતારણહારશ્રી સિદ્ધગિરિની યાત્રાર્થે લઈ જવા વિચાર્યું.
ચૌદશનું પાક્ષિક પ્રતિક્રમણ-ગુરુનિશ્રાએ કરવા વિચાર્યું.
અમાસના દિવસે સવારે વહેલું ચેઘડીયું સારું ન હઈ ચૌદશની પાછલી રાતે છેલ્લા ચલ ચેઘડીયામાં પ્રથમથી વાત કર્યા મુજબ સાંઢણી મારફત બેટાદ દશ વાગતાં પહોંચ્યા.
ત્યાં પૂ શ્રી ઝવેરસાગરજી મ. ની ચિઠ્ઠીને આધારે ન્યાલચંદ છનાભાઈને ત્યાં હાઈ–ઈ પૂજા કરી જમી બપોરે ૨ વાગે સાંઢણી મારફત રાત્રે ૮ વાગે પાલીતાણા પોંચી ગયા.
બંને પિતા-પુત્રે ઉમંગભેર બેસતા મહિનાની યાત્રા અને શ્રી આદીશ્વર-દાદાની પૂજા કરી માનસિક-ઉલાસ મેળવ્યું.
Aજી જાણવાની
S