SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવીની અકળ ગતિ પર વિશ્વાસ રાખી મગનભાઈ ભગતે અડદના ત્રણ આંબલ કરીને શ્રી નવકાર-ઉવસગહરની રેજની સાત માળા દેરાસરમાં ગણી માનસિક સ્વસ્થતા મેળવી. કેર્ટને સમન્સ લઈ ભગતના ઘરે સરકારી બેલીફ આવે. ભગતે સહી કરી સમન્સ લઈ લીધો. પછી ચરિત્રનાયકશ્રી પાસે જઈ તે બતાવ્યું. મગન ભગતે કહ્યું કે-“શું કરશું હવે! તમે ઉપાશ્રયે હોત તે આ સંધ પડખે રહેત!” વગેરે. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે “તમે જરા પણ ગભરાશે નહીં. “હું જોરદાર સરોટ શબ્દોમાં સત્ય હકીકત કોર્ટમાં જાહેર કરીશ” એમ કહી પોતે જે પિતાનું નિવેદન લખી રાખેલ તે બતાવ્યું. જે વાંચી મગનભાઈ ભગત ખૂબ રાજી થયા. વિપરીત પરિણામ આવે તેવું લાગતું નથી. “આ નિવેદન સાંભળી જજ પોતે આ કેસ કાઢી નાંખશે” એવી પાકી ધારણા મગનભાઈને થઈ. અસાડ મહિનાની અંધારા પખવાડીયાની તેરશ હતી અને કપડવંજની કોર્ટમાં ચરિત્ર નાયકશ્રી સાધુવેશે હાજર થયા. આખા ગામમાં હહા અને ચકચાર મચી ગઈ કેક ચરિત્રનાયકશ્રી અંગે, કેક મગન ભગત અંગે ઘસાતું બોલી રહ્યા, પણ મોટો ભાગ તે રણછોડભાઈને પગલાંને વખેડી રહ્યો. ફરીયાદી-પક્ષ તરફથી બહારગામથી મોટો ધારાશાસ્ત્રી બાહોશ વકીલ લાવવામાં આવેલ. ફરીયાદપક્ષના વકીલે નામદાર કોર્ટનું ધ્યાન ખેંચ્યું કે અહીંના વતની શેઠ મગન ભાઈચંદ ગાંધીના પુત્ર હેમચંદે છાનામાના નાસી જઈને ગયા ફાગણમાં દીક્ષા લીધી છે.” પણ તેની પરણેતર સગીર વયની છે, દીક્ષિત થનાર પિતે પણ સગીરવયના છે. માટે નામદાર કેટને આ અંગે યેગ્ય કરવા વિનંતિ કરૂં છું.”
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy