________________
MAI
BUTUN
બીજું તે ઠીક સંસારી-માતાજી સ્વજન-વર્ગમાં સૌથી મુખ્ય છે.
તેમને કોર્ટે પૂછી જુએ કે સ્વજન-વર્ગને કે તમારે અત્યારે મારી દીક્ષા અંગે વિરોધ છે અરે !
કેટે જમનાબહેનને સાક્ષીના પાંજરામાં ઊભા રાખી હાથમાં કલ્પસૂત્ર આપી સત્યના સેગંદ લેવડાવી જે સાચી વાત હોય તે કહેવા સૂચના કરી.
જમનાબહેને ખૂબ જ ધીરતા કેળવી ગંભીર શબ્દોમાં કહ્યું કે
મારા દીકરાએ દીક્ષા લીધી તે વખતે અજ્ઞાનતાવશ મેં ઘણે વલેપાત કરેલ, તે મારી ભયંકર ભૂલ થઈ–હવે મારે દીક્ષા અંગે કોઈ વિરોધ નથી.”
આ વાતની કેટે નોંધ લીધી. આ વખતે સામાપક્ષના વકીલ શ્રીધ્રુવે કોર્ટનું ધ્યાન ખેંચ્યું કે–
હમણાં મારા અસીલ તરફથી બે-ત્રણ સાક્ષીઓના નિવેદને થયા છે, આવી સાક્ષીઓ દશ-બાર છે, તે દરેકમાં હેમચંદની દીક્ષા નિમિત્તે જમના–બહેને ઘણે વલેપાત કર્યો છે! ધમાલ કરવામાં બાકી નથી રાખી. આખું ગામ જાણે છે.”
“પણ હમણુ જમનાબહેનના મેઢાથી જે જુબાની બોલાવી છે, તે તરકટ છે, બનાવટી છે, દબાણ લાવીને તેમને તેમ બેલવા ફરજ પાડી છે.”
જુઓ ! જમનાબહેન એ વખતે ખાતા ન હતા તે સમજાવવા રણછોડભાઈ સાથે જમનાદાસ ગયેલા, માંડ સમજાવીને ખવડાવેલ.”
રણછોડભાઈ તે ફરીયાદી છે, તેથી તે સાક્ષીમાં ન આવે, પણ જમનાદાસ હાલ અહીં હાજર છે, તેઓ પોતે પિતાની વાત રજુ–કરશે.”
રણછોડભાઈ જમનાદાસને હાથ દબાવી “બરાબર બેલજે હે” એમ ધીમેથી કહી આગળ મેકલ્યા, સામે કપડવંજના આગેવાનમાંથી ગેપાળભાઈ, ચીમનભાઈ, ગોકળદાસભાઈએ આંખના ઈશારાથી કંઈક સૂચવ્યું.
જમનાદાસ સાક્ષીના પાંજરામાં ઊભા થયા.