SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ HETSBOVU ચંદ્રસ્વરમાં ઉપાશ્રયેથી બહાર નીકળ્યા, થેડી વારે સુષુષ્ણુ-બંને નાડીઓ ચાલવા માંડી એટલે દહેરાસરે જઈ ચૈત્યવંદન કરી ૨૧ નવકાર ગણ્યા ત્યાં સૂર્યસ્વર ઉપડ્યો. તે સૂર્યસ્વરમાં મો અરિહંતાણં બોલવાપૂર્વક સાત ડગલાં પૂર્વ સન્મુખ ચાલી પછી દક્ષિણ તરફ ઉપડતા સૂરે ત્રણ ડગલાં ભરી, પ્રભુ મહાવીર પરમાત્માના રીચી રેડ પરના દહેરાસરે દર્શન કરી સન્મુખ-ચંદ્ર ચાલી પછી રાયપુર ચાર-રસ્ત થઈ ડાબે નવી શાહીબાગ તરફની કેટે તરફ જમણે ચંદ્ર રાખી પૂ. ચરિત્રનાયકશ્રી ચાલ્યા. ટૂંક સમયમાં કોના દ્વારે પહોંચ્યા ને થેડીવાર થઈ ત્યાં કોર્ટના શિરસ્તેદારે આલબેલ પિકારી એટલે પૂ. ચરિત્રનાયકશ્રી ચાર સાધુઓ સાથે હાજર થયા. કપડવંજ-શ્રીસંઘના આગેવાને, વિદ્યાશાળાના આગેવાને તથા મગનભાઈ આદિ સ્વજનવર્ગ બધા રીતસર ગોઠવાઈ ગયા સામે પક્ષે રણછોડભાઈ પિતાના કુટુંબીઓ સાથે બેઠવાયા. કોર્ટમાં સન્નાટો છવાઈ ગયેલ. જૈન સાધુને કેટમાં આવેલા જોઈ જૈનેતરમાં ભારે ખળભળાટ મચી ગયેલ. કુતુહળવૃત્તિવાળા સેંકડે લેકેની ઉપરની ગેલેરીમાં ઠઠ જામી, કેસની શરૂઆત જજ સાહેબે પૂ. ચરિત્રનાયકશ્રીની ફરીથી જુબાની લેવા રૂપે કરી. કોર્ટના એકેક સવાલને ધડાકાબંધ નિર્ભયતાથી જવાબ આપી પૂ. ચરિત્રનાયકશ્રીએ સહુને ચકિત કરી દીધા. થડીવારે કેટની રજા લઈ પૂ. ચરિત્રનાયકશ્રીએ પિતાનું મંતવ્ય લેખિત જે લાવેલ હતા તે વાંચી સંભળાવ્યું. મારી પિતાની દીક્ષા મારી પિતાની ઈચ્છાથી થઈ છે. મારા ધર્મિષ્ઠ પિતાશ્રીની સંમતિથી થઈ છે, પણ મારા સ્વજન-વર્ગની પૂર્ણ સંમતિ ન હેવાથી મારે છાની દીક્ષા લેવી પડી.” પણ હવે મારે વજનવગ બધે મારી દીક્ષાથી પ્રસન્ન છે”
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy