________________
TÄDTEELCAS
કપડવંજ શ્રીસંઘના આગેવાને મગનભાઈ ભગત સાથે પૂ. શ્રી સિદ્ધિવિજ્યજી મ. પાસે એકાંતમાં બેઠા.
કહેવંજના વાતાવરણની બધી વાત કરી. પેલી જમનાદાસની પણ વાત મગનભાઈ કરે, જે બધું સાંભળી પૂ૦ શ્રી સિદ્ધિવિજયજી મ. એટલું જ બોલ્યા કે- "... "
શાસનદેવ સહુ સારું કરશે. સત્ય અને ન્યાયના પંથે ચાલનારને કસોટી થાય બાકી બીજે ભય ન રાખવો. તેમ છતાં કંઈ થાય તે આપણું અંતરાય કે પાપને ઉદય સમાજ ! પણ કોઈના પર ગુસ્સે નહીં થવું! સહુ જીવ કમધીન છે.”
આદિ કહી સહુને પૂજા આદિ કરી વ્યાખ્યાનમાં આવવા સૂચવ્યું. વ્યાખ્યાન પૂરું થયું કે તુર્ત વિદ્યાશાળાના આગેવાનોને પૂ. મહારાજશ્રીએ કહ્યું કે
ભાઈએ ! આજે શાસન અને ધર્મની આરાધનાની ખરી કરી છેશાસનદેવ સહુ સારૂં કરશે જ. કપડવંજવાળ અટ્ટમ અને આંબિલ વગેરે કરી ખૂબ ઉત્સાહથી આવ્યા છે.”
“તમે પણ જલદી તૈયાર થઈ અહીં આવી જાઓ. “૧૨-૨૩ મિનિટે સહુએ અહીંથી ચઢતા સૂરે કોર્ટમાં જવાનું છે.”
“તપાસ કરાવતાં ખબર મળી છે કે દોઢ વાગ્યા પૂર્વે આપણે કેસ નિકળે તેમ નથી, તે એક રીતે સારું છે.”
દોઢ વાગ્યે ઘડીયું સારૂં શરૂ થાય છે” આદિ સાંભળી વિદ્યાશાળાના આગેવાન શ્રાવકો જહદી તૈયાર થવા તત્પર બન્યા. બરાબર બાર ઉપર દશ સુધીમાં તે વિદ્યાશાળાના આગેવાન શ્રાવક-કપડવંજના સહુ ભાઈ–બહેને આવી ગયા.
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ પૂ. ચરિત્રનાયકશ્રીને આંબિલ પતાવી તૈયાર કરી દીધા. સાથે કરેલ બુદ્ધિના મુનિશ્રી રાજવિજયજી, નીતિવિજયજી મ. ચંદ્રવિજયજી મ. તથા બુદ્ધિવિજયજી મ. ને મોકલ્યા.
જાણે લડાઈને મરચા પર જતા હોય તેવી ધીરતા પૂ. ચરિત્રનાયકશ્રીના મુખ પર તરવરતી.
'