SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ મળી શકે છે. જે પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ સામાન્ય સાધુ હોત તો પૂ આગમોધારકશ્રીને લીંબડીમાં દીક્ષા આપી અને સ્વજનોથી સુરક્ષિત રાખવા એક સામાન્ય સાધુ તે વખતના પ્રભાવક શક્તિશાળી પૂ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ પાસે ઠેઠ અમદાવાદ વિદ્યાશાળામાં મોકલી આપે. તેને મેળ શી રીતે ? કેટલી એકબીજાની હુંફ અને સુદઢ-વિશ્વાસની લાગણી ! વળી પૂ. શ્રી સિદિધવિજયજી મહારાજશ્રીએ પણ પૂ. આગમોધ્ધારકશ્રીને કુટુંબીઓના પ્રચંડ અવિવેકભર્યા ઘણુ ફાનો સામે સુરક્ષિતપણે સંયમમાં ટકાવવા કેવા નકકર પ્રયત્ન કરેલા ? આ બધું પ્રકરણ ૩૦ થી ૩૫ વાંચવાથી સ્પષ્ટ સમજાય તેમ છે. - આ બધું તે વખતના શ્રમણ સંઘમાં અસ્થિમજજા રૂપે રહેલ સૌમનસ્ય-ભાવની પ્રબળ સાક્ષીરૂપ છે. વળી કેટલાક તેજે દ્રષી અને અજ્ઞાનીઓ એમ પણ કુથલી કરતા હોય છે કેકોર્ટમાં મોટી જુસ્સાભેર જુબાની આપનાર સાગરજી મ. વૈષ પહેરીને ઘરમાં રહી પતિત થઈ ગયા.” આદિ........... પરંતુ આ ગ્રંથના પ્રકરણ ૩૭ થી ૩૯ (પૃ. ૨૩૪ થી ૨૫૫) વાંચવાથી સચોટ પ્રતીત થશે કે – “પૂ, ચરિત્રનાયકશ્રી કેવા વિષમ સંગોમાં ફસાયા હતા. ! અને સંગોની ભીંસથીષ મુકવો પડયો. સ્વેચ્છાથી કે ભેગલાલાસાથી વેષ મુક્યો નથી નહિ તો - પ્રકરણ ૪૦-૪૧ (પૃ. ૨૫૬ થી ૨૬૪)માં વર્ણવાયેલ આત્મ જાગૃતિ અને ચારિત્રગ્રહણની તમન્ના સામાન્ય નિમિત્તથી શી રીતે સંભવી શકે ? તે દીવા જેવી વાત છે એટલે પૂ. ચરિત્રનાયકશ્રી પૂર્વ-જન્મની વિશિષ્ટ આરાધનાના બળે વિષમ સંગો અને અશુભ નિમિત્તોના ધસારા વચ્ચે પણ અડગ ટકી રહ્યા. ક્યારેક વિશિષ્ટ-કર્મના ઉદયે પાછા પડયા છતાં વિશિષ્ટ શુભ નિમિત્તોની પ્રબળ અસર તળે આવી પુનઃ માર્ગસ્થ બની ગયા-એ એક વિશિષ્ટ-મહત્ત્વપૂર્ણ વાત છે. ( ૧૩
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy