SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ KESEHÖVZEMRA IIII પ્રકરણ : ૩ર છે. ૫. ચરિત્રનાયકશ્રીની અપૂર્વ ધીરતા III પૂ. ચરિત્રનાયકશ્રી મહાધીન સ્વજનોએ ઊભી કરેલી સંયમાવસ્થાની આકરી-કપરી કસોટીએમાંથી પસાર થવાના પ્રસંગે ગુપ્તવાસની દુવિધાભરી સ્થિતિમાંથી બહાર આવ્યા. વિદ્યાશાળામાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.ની નિશ્રામાં સ્વજને સમક્ષ ચતુર્વિધ શ્રીસંઘની સાક્ષીએ આવી રહ્યા. તે વખતે શિથિલાચારીઓના એકછત્રી સામ્રાજ્ય અને સંવેગી દીક્ષા અને તેમાં પણ બાળરીક્ષા તે બહુ જુજ હાઈ બાલ્યાવસ્થામાં દીક્ષિત થયેલા પૂ. ચરિત્રનાયકશ્રીને નિહાળી ભાવિક–લેકેના હૈયા ઉલસી રહેલાં. તેમાં પણ સંસારની મોહ-માયામાં વિવેકશૂન્ય બનેલા સ્વજનોએ ઉભી કરેલ કષ્ટોની હારમાળામાં પણ અડોલપણે સંયમને વફાદાર બની રહેલ પૂ. ચરિત્રનાયકશ્રીને નિહાળી ધર્મપ્રેમી લકો ખૂબ શાસન અને ધર્મના મહિમાને વર્ણવવા લાગ્યા. આ બાજુ કપડવંજથી આવેલા સ્વજનેમાં જમનાબહેન વગેરેએ ૫. ચરિત્રનાયકશ્રીની ઉદાત્ત અડગ ભાવના નિહાળી અનુમોદના સાથે મોહના ઉછાળાથી આંખમાં ઝળઝળીયા આવવા છતાં અંતરમાં ઊંડા ઉતરેલા ધર્મ સંસ્કારના આધારે પિતાના કુળદીપકના અપૂર્વ ઝળહળતા ત્યાગની તે અંગે દાખવેલ અપૂર્વ ખમીરની ખૂબ ખૂબ અનુમોદના કરી અંતરથી મંગળ આશિષના શબ્દો ઉચ્ચાય કે-“ભલે સંયમ લીધું તે હવે મારી કૂખ અજવાળજે અને શાસનને ધુરંધર પ્રભાવક થજે !” બીજા સ્વજનેએ પણ ભાવભરી વંદના કરી, ફક્ત કોયડુ મગની જેમ શ્રી રણછોડભાઈ (સુર) બાહ્ય દેખાવથી વંદનાદિ કરવા છતાં મેહની કારમી ઘેલછાને વશ બની મારી છોકરીને ભવ બગાડ એ વાતને કેન્દ્રમાં રાખી પૂ. ચરિત્રનાયકશ્રીને ખરેખર સકંજામાં ફસાવવાની તરકીબેની વિચારણામાં અટવાઈ રહ્યા. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી મગનભાઈ અને ન્યાલચંદકાકા (વિદ્યાશાળાના આગેવાન મુખ્ય શ્રાવક) એ ત્રણેના ધ્યાનમાં આ વાત આવી ગઈ કે “રણછોડભાઈ ધર્મ DRK
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy