SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સિત દ) S pot %2) ધમાટમાં છે અત્યારે પૂ. ચરિત્રનાયકશ્રીને વધુ છૂટા મુકવા જેવા નથી. કદાચ હુમલે કરી કબજો મેળવે. એટલે ૫ શ્રી સિદ્ધિવિજયજી મ. ની ઈશારતથી અને મગન ભગતના સંકેતથી ન્યાલચંદકાકા “બાલમુનિ ! ચલો જરા અહી આને” એમ કહી વ્યાખ્યાનખંડની પાછળની ઓરડીમાં લઈ જઈ પાકો પ્રબંધ કરી દીધું કે રણછોડભાઈ કઈ રીતે અહીં ફાવી ન શકે. આંખ મીંચીને ઉઘાડે એટલીવારમાં આ બધું થઈ જવાથી રણછોડભાઈ તે ચમકયા અને મનમાં પસ્તાયા કે હું વિચારમાં રહ્યો અને ખરી બાજી તે હાથમાંથી સરી ગઈ. રણછોડભાઈના પેટમાં પાપ હતું તેમને દર્શનના બહાને પૂ. ચરિત્રનાયકશ્રીને કબજે મેળવે હતું, પણ કુદરતી પુણ્યબળે પૂ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની સૂચનાથી પૂ. ચરિત્રનાયકશ્રી સુરક્ષિત બની ગયા. બાકી કપડવંજથી પુત્રનું મહ જેવાના બહાને જમનાબહેનને શણગારી લાવનાર રણછોડભાઈની મેલી મુરાદ હતી કે બતાવે કે તુર્ત પકડી પાડવા અને વેષ છોડાવી ઘરે લઈ આવવા. ' પણ શાસનદેવે રણછોડભાઈને વિચારોના ચક્રાવામાં રાખી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ના હૈયામાં સૂઝ-ઉપજાવી આખી પરિસ્થિતિ વણસતી અટકાવી દીધી. રણછોડભાઈ તે હાથમાંથી બાજી સરકેલી જોઈ મૂળ સ્વભાવમાં આવી ધૂંઆપૂંઆ થઈ એલફેલ બેલવા લાગ્યા. મગનભાઈ ભગતે જમનાબહેનને એક તરફ લઈ જઈ બધી વાત સમજાવી કે – જોયું? વેવાઇના મનમાં કેવું પાપ છે! તેની કરીને ભવ સુધારવાની ઘેલછામાં આપણું માથે દીક્ષા છોડાવવાના પાપનું કલંક ચટાડવાના તેમનાં કારસ્તાન છે ! હું તે તને પહેલેથી કહેતું હતું કે-આ વેવાઈની જાળમાં તું ફસાઈ ગઈ માં જવાની વાત જ તેની અવળી બાજી ગઠવવા માટે હતી. સારું થયું ! શાસનદેવે બચાવી લીધા, આપણા પનોતા કુળદીપકને હવે ઉની આંચ આવે તેમ નથી.'
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy