________________
*GuvñVEICQS
ક
- જે સાંભળી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ આનંદોલ્લાસથી પૂ. પિતાજીના ચરણોમાં માથું નમાવી પિતાજી ઉપરાંત ધર્મનાયક તરીકે પિતાને સંસારથી છેડાવનાર તરીકે ખૂબ ખૂબ કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કર્યો.
ફા.સુ. ૧ રાત્રે બધી યોજના સાગપાંગ પાર ઉતરે એવી ગોઠવણી પૂ. ચરિત્રનાયકશ્રીએ કરી, બેસતા મહિને પૂ. પિતાજી સાથે શ્રી ચિંતામણિદાદાના દહેરે ઠાઠથી સ્નાત્ર ભણાવી શાંતિકળશ કરી તેની સામે ઘીના દીવા સાથે નવમરણ ગણી તે પાણી માથે અને છાતીએ લગાડી સંયમની નિવિન પ્રાપ્તિ થાઓ તે શુભ સંકલ્પ કર્યો.
પછી શ્રી અજિતનાથ પ્રભુના દહેરે સ્નાત્ર ભણાવી વિવિધ પુરુષોની અંગરચના કરાવી.
શ્રી વાસુપૂજ્ય સ્વામીના પૈતૃક-દહેરે ૧૦૮ ગુલાબના પુષોને શ્રી નવકાર ગણવા સાથે પ્રભુજીને ચઢાવી ભાવ-ભક્તિ સાથે ચૈત્યવંદન કરી “ડે ી નમો વારિત્તસ્સ ” ની ૨૦ માળા પૂ. ચરિત્રનાયકશ્રીએ ગણું.
ઘરે આવી ધાર્મિક–કિયાની ઓરડીમાં જઈ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના ચિત્રને વંદના કરી તેમની સમક્ષ ૭ નવકાર ગણી નિર્વિધને આપના ચરણમાં પહોંચાય તેવા ભાવથી વાસક્ષેપ પૂ. પિતાજી પાસે નંખાવ્યું.
પછી સામાયિક કર્યું. જેમાં ૭૦ લેગસને ને ૧૭ લેગસ્સને અને ૧૮ લેગસને કાઉસગ્ન કર્યો. પછી ૧ બાંધી માળા ગણે આંબિલ કર્યું.
બપોરે ૩ થી ૪ માં પૂ. પિતાજી પાસેથી સંયમપંથે વિચરવા અંગેની યોગ્ય હિતશિક્ષા મેળવી જીવનને ધન્ય બનાવ્યું.
સાંજનું પ્રતિક્રમણ પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. પિતાજી અને પિતાના મહાન ધર્મોપકારી શંકરભાઈની નિશ્રાએ ભાલ્લાસ સાથે કર્યું.
પ્રતિક્રમણ પછી મગનભાઈને શંકરભાઈની વાત વિચારણા દરમ્યાન પિતાના પ્રતિ બંને વડિલેને કેટલે આત્મિક સ્નેહ છે? તે અંગે બંને વડિલેને મને મન ખૂબ આદરભાવ કેળવી પૂર્વ-નિયોજિત યોજના મુજબ ૯ વાગે પૂ. ચરિત્રનાયકશ્રીને પિતાજીએ સૂઈ જવા સૂચવ્યું.
'