SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ “વિના સહસં = સિદ્ધિઃ” જોખમ ઉઠાવનારો જ સમૃદ્ધિ મેળવી શકે” આદિ કહેવતની જેમ જીવનમાં “વા ટોન વારી વો તો છે મને” “ હિંમત ન તો ન તુ ” આદિ લૌકિક સૂક્તિ એના આધારે સાત્વિક–પુરૂષાર્થ પૂર્વક સંયમ–પંથે ઝુકાવી દેવા પિતાજીની સંમતિ મુજબ ગ્ય કરશે.” –આદિ અવારનવાર ધર્મપ્રેરક અનેક વિચારો મળવાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. પિતાજી આગળ માહ સુ-૫ રાત્રે અજ્ઞાત રીતે અહીંથી છટકીને પૂજ્યશ્રી પાસે પહોંચી જઈ સંયમ લઈ શકાય કે કેમ! તે અંગે પોતાની ધીરતાભરી વાત રજૂ કરી. મગનભાઈએ સંયમત્સુક બનેલ કુલદીપક પુત્રની ઉદાત્ત-મભાવનાથી ખૂબ જ આહૂલાદિત બની પૂ. ચરિત્ર-નાયકશ્રીને છાતી સરસા ચાંપી માથા અને પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવવા પૂર્વક હર્ષાવેશના આંસુ સાથે કહ્યું કે . “બેટા ! ખરેખર હું આટલી મોટી વયે પણ આ ઉલ્લાસ મેળવી શકતા નથી ! ધન્ય છે તારા પુણ્યવાન આત્માને ! વિકટ પરિસ્થિતિમાં અનિષ્ટ પરિણામની સામે ઝઝુમવાની તત્પરતા સાથે નાની વયમાં પણ પ્રભુ-શાસનના સંયમને પામવાની આવી તારી દઢ તમને નિહાળી ગજગજ હૈયું મારું ઉછળે છે ! “વાહ કુળદીપક ! વાહ! તારી ભાવનાને હૈયાના ઉંડાણથી આવકારું છું.” બેટા! ગુંચવાયેલ કોકડું ઉકેલવા જતાં વધુ ગુંચવાય છે, ત્યાં તે કાતર મુક્ય જ છુટક ! તારી ઉચ્ચકક્ષાની ભાવનાને મારે સક્રિય સંપૂર્ણ ટેકે છે.” “તારી આ જાતની તત્પરતા નિહાળવાની શુભ ઘડીની રાહ કયારને જોઈ રહ્યો હતે ! આજ મારા પુણ્યના ઉદયે તારી આવી તત્પરતા નિહાળી હું ખરેખર કૃતાર્થ બને છું.” બેટા! હવે તું નિશ્ચિત રહે! આ અંગે મધ્યમમાર્ગે ઉચિત-સાહસ દ્વારા જલ્દી સિદ્ધિ થાય તેવી ગોઠવણ કરું છું.” જેથી ટૂંક સમયમાં તું સંસારના બંધનથી મુક્ત થઈ શકીશ.” આ પ્રમાણે માહ સુ. ૫ ની રાત્રિ પૂ. ચરિત્રનાયકશ્રી માટે ખૂબ જ યાદગાર યશસ્વી અને પવિત્ર નિવડી. AN DOC
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy