SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ SHUVTEARE ફા. વ. ૧૪ સવારે ઉદયપુરમાં પુનિત પ્રવેશ થયે વ્યાખ્યાનમાં શાશ્વત નવપદજીની એળીની આરાધનાના મહત્વને પૂજ્યશ્રીએ ખૂબ સરસ રીતે સમજાવવા માંડ્યું. પૂજયશ્રીની નિશ્રામાં ચૈત્રી એળીની આરાધના પ્રાયઃ થઈ નથી, તેથી ખૂબ જ ઉમંગઉલ્લાસથી ઉદયપુરના શ્રીસંઘે પૂજયશ્રીની વાતને ઝીલી લઈ વિશાળ-સંખ્યામાં આરાધકાએ તૈયારી કરી. - શા. દીપચંદજી કે ઠારીએ નવે દિવસના આંબિલને લાભ લેવાની વાત પૂજયશ્રી પાસે મૂકી, પૂજ્યશ્રીએ શ્રીસંઘ દ્વારા તે વાત મંજુર કરાવી. ખૂબ ઠાઠથી સામુદાયિક વિધિ સાથે સેંકડો આરાધકોએ શ્રી નવપદની ઓળીજીની આરાધના પૂજયશ્રીના માર્મિક-પ્રવચનેથી ઉપજેલ અપૂર્વ ભાલ્લાસથી કરી. તે ઓળી દરમ્યાન શ્રીસંઘે પૂજ્યશ્રીને ઉદયપુર શ્રીસંઘના લાભાર્થે દહેરાસરોના વહીવટની , અવ્યવસ્થા ટાળવાના શુભ આશયને બર લાવવા ચાર્તુમાસની આઝડભરી વિજ્ઞપ્તિ કરી. - પૂજ્યશ્રીએ સાધુજીવનની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તેમજ “ ગતિરિવાવા” જેવું થવા ન પામે તેથી ચાર્તુમાસની અનિચ્છા દર્શાવી. તેથી શ્રીસંઘના આગેવાનોએ એક પછી એક દહેરાસરના વહીવટીતંત્રની ગૂંચે પૂજ્યશ્રી પાસે રજુ કરવા માંડી, તેમાં મુખ્યત્વે ચગાનના દહેરાસરે-જે કે સાગર–શાખીય મુનિવરેના ઉપદેશથી બંધાયા-સ્થપાયા-ની વ્યવસ્થા માટે પૂજયશ્રી પાસે ધા નાંખી. એટલે પૂજ્યશ્રીને સંજોગવશ ચૈત્રી ઓળી પછી પણ સ્થિરતા કરવી પડી. આ દરમ્યાન ચૈત્ર વદ ત્રીજ લગભગ પાલીતાણું અને ભાવનગરથી તેમજ આ કે પેઢી અમદાવાદથી શ્રી સિદ્ધિગિરિના પ્રશ્ન પર સમાચાર મલ્યા કે પાલીતાણું સ્ટેટ સાથે થયેલ વિખવાદના ઉકેલ તરીકે મુંબઈ ગવર્નર પાસે જૈન શ્રીસંઘે કરેલ અપીલન કાઠીયાવાડના પોલિટિકલ એજંટ જે. ડબલ્યુ વોટસન (J. W. WOTSON)ની દરમ્યાનગીરીથી તા. ૮-૩-૧૮૮૬ ના રોજ ઉકેલરૂપે ચે કરાર થયે. તે કરારમાં એમ ઠરાવેલ કે “જેન શ્રીસંઘે પાલીતાણા દરબારને ૧૫૦૦૦] રૂપિયા ઉથક આપી દેવા, પાલીતાણું સ્ટેટે યાત્રાળુ ન નાંખ, બીજી ઈ અગ્ય દરમ્યાનગીરી સ્ટેટ તરફથી ન થવી જોઈએ.”
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy