________________
વધુમાં આ પ્રકાશનને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે પૂ. પંન્યાસીની પ્રેરણાને ઉમંગભેર ઝીલી દિવસ-રાત જોયા વિના ખડેપગે તૈયાર રહેનારા નીચેના મહાનુભાવોની ગુણાનુરાગ સભર ગુરૂભકિતની વારંવાર અનુમોદના કરીએ છીએ.
# બાબુલાલ કેશવલાલ શાહ (ચાણસ્માવાળા) અમદાવાદ
અશ્વિનકુમાર એસ. દવે પાલીતાણા * લાલચંદ કે. શાહ (વણોદવાળા) અમદાવાદ * પંડિત હરગોવનદાસ સંપ્રીતચંદ કપડવંજ * ચંદુભાઈ ઠાકરશી રંગાણી પાલીતાણા * રાઘવભાઈ વસરામભાઈ પાલીતાણા
અહીં ખાસ નોંધવા જેવી બીન એ છે કે
- આ જીવન-ચરિત્રના આલેખનમાં પૂ. સંપાદક મ, શ્રીની પ્રવૃત્તિન ઘણી રીતે સહેલી બનાવનાર તેમજ છુટક હકીકતોને અનેક સંદર્ભ ગ્રંથમાંથી સંકલિત કરનાર લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાપીઠ, નઈ દિલ્હીના પ્રોફેસર, ૫. પંન્યાસજીશ્રીની જંબુદીપ અને ભૂ ભ્રમણ અંગે છેલ્લા ૨૧ વર્ષોથી અનેક રીતે સેવા
આપનાર છે. રૂકવિ ત્રિપાઠી એમ.એ.પીએચ.વ ના પ્રયાસની આંતરિક-ભાવ સાથે ધન્યવાદ ગ્ય માનીને - ખૂબ અનુમોદના કરીએ છીએ.
આ ઉપરાંત નીચેના ઉત્સાહી ધર્મપ્રેમી પુણ્યવાનની અને હાર્દિક અનુમોદના કરીએ છીએ. o જિનદાસ રજનીકાંત શાહ (ઉવર્ષ ૨૫) બી. કોમ. એલ. એલ. બી. ચાર્ટડ એકાઉન્ટન્ટ ૦ કુમારપાળ જયંતીલાલ શાહ (ઉ. ૨૪) બી. કોમ ૦ આશિષકુમાર માણેકલાલ શાહ (ઉં. વ. ૨૩) બીકોમ. એલ. એલ. બી. ૦ નાગેશકુમાર રામશંકર ભેજક (ઉં. વ. ૨૨) વડગામ (પાલણપુર)
આ ચાર મહાનુભાવોએ વ્યાવહારિક નોકરી, દુકાન કે ઘરકામની જવાબદારીમાંથી પણ સમય ફાળવી ૫. પં. શ્રી અભય સાગરજી મ.ની આજ્ઞા-પ્રમાણે સંપાદન અને પ્રકાશન કાર્યની બાહ્ય-અત્યંતર જવાબદારી હળવી કરવામાં તેમજ પૂક-મેટર લાવવા લઈ જવા અને પ્રેસ-બ્લોક વાળાને ત્યાં આંટા-ફેરા આદિ અનેક અટપટી કામગીરી પણ સફળ રીતે અને હોંશિયારી પૂર્વક પતાવી પૂ. પંન્યાસજી મ.સીનું સંપાદન કાર્ય, અને અમારું પ્રકાશન કાર્ય ખૂબ જ સહેલું અને સગવડ ભર્યું બનાવી પોતાનું જીવન ધન્ય-પાવન કર્યું છે.