________________
KHÔTEEIRE
આવી કઈક શાસન-સાપેક્ષ પ્રશસ્ત–ભાવનાથી શ્રીસંઘની વિનંતિને માન આપી “ ક્ષેત્રસ્પર્શના વસ્ત્રીવલી” સમજી પુનઃ કપડવંજ ચે. વ. ૭ના રોજ પધાર્યા, નગરશેઠ તરફથી ભવ્ય સામૈયું થયેલ.
તે વખતે સંવેગી-સાધુઓની ખૂબ જ ઓછી સંખ્યા હોઈ યથાશકય રીતે દીક્ષા આપી તારવાની સાથે સાથે સમુદાય-બળ વધારવા તરફ પણ પૂજ્યશ્રી લક્ષ્યવાળા હતા.
જો કે તેમાં છઘસ્થતાને કારણે કયાંક ગૂંચે પણ જબરી ઊભી થતી, કે જેને નિર્દેશ નીચેના પત્રોમાંથી મળે છે.
તમારી ચિઠ્ઠી વદ ૧૩ ની ગઈ કાલે વાંચીને વદ ૧૪ ની ચીઠ્ઠી આજે પહોંચી છે, સમાચાર જાણ્યા છે.
બીજું કાળક જંબૂદીપને પટ પો લખે ને વદ ૧૨ની ચિઠ્ઠી લખી હતી, પણ તે ચિઠ્ઠી અમોને મળી નથી.
બીજુ વદ ૧૪ ચિઠ્ઠી તમે...સાધ્વી ઉપર પ્રથમ લખી તુમે આપી છે, તે પાછી મંગાવી... નહી તે તે કીયે અપાસરે છે, તો તે અમારે તેની જોડે પસ્થિય નથી, અને તે પહેલાંના રાગી છે એટલે અમારાથી શી રીતે પાછી મંગાવાય?
તે ડોશીવાડાની પોળમાં સીમંધર સ્વામીજીના દેરા પાસે સુરજબાઈ સામણુના અપાસરામાં રહે છે, તે જાણજો.
તમે પુખ્ત વિચાર કરીને વાત કરો કેમકે છે, તેની બૈરી જીવતી છે, માટે પછાડીથી ભોપાળું કાઢે xxxxxવાતે આપણે વિચાર કરીને માણસ જોઇને વાત કરવી.
xxxx સાબૂ મણ-૧ મોકલવાxxxxxક્ષેત્રક પૂરણ થવાને વાર છે તે જાણ્યું
બીજું તમને xxx લોભનું કારણ ના દેખાય તો તમે અતરે આવજો તમો આવાય છે વિચાર કરીશું ૪૪તાપ બહુ પડે છે *** અમારે વડોદરા xxxકામ છે, માટે તમે વહેલા વહેલા વિહાર કરશે
તમો અવો એટલીવાર છે તે જાણ રિતિ ૧૯૪૧ના ચેતર વદ ૦) વાર બુધ .
લી. તમારે સેવક હીરજી સર્વ સાહેબ ૧૦૦૮ વાર વંદના વાંચજો પદમસાગર પાસેથી xxx લોક પ્રકાશનના પાના આવ્યા છે.
ઉપર લખ્યું છે કે–અમદાવાદ આવજે તે પછી વિચારીશું xx પણ xxxx માટે તમો જ્યારે વિહાર કરવાનું ૪૪ તે અમને લખજો xx તમારે છાણી જવું છે અમે પણ તમારા વિહાર પછી નિકળવાનું કરીએ તે જાણો પછી સાથે વડોદરા જઈશું”