SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Borde ચેમાસામાં વિશિષ્ટ-પ્રેરણા આપી આરસ પાષાણુ જોધપુરી પાષાણ, વગેરેની તજવીજ ગઠવી સારા સેમપુરા મિસ્ત્રીને ચિત્તોડથી બોલાવી સં. ૧૯૩૯ના માગશર મહિનેથી ધમધોકાર કામ શરૂ કરાવેલ, તે જિનાલયમાં પ્રતિમાનું કાર્ય મા શીવ્ર ન્યાયે પૂજ્યશ્રીએ શ્રા. સુ. ૧૩ નું વિશિષ્ટ મુહૂર્ત કાઢી શ્રી સંઘને તે પ્રતિષ્ઠા કરાવવા પ્રેરણા આપી, તેથી તે પ્રતિષ્ઠા-મહત્સવ ભેગે પૂ. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે ઓચ્છવ પણ કરાવવા પૂજ્યશ્રીએ સૂચવ્યું. શ્રીસંઘે પૂજ્યશ્રીની આજ્ઞા વધાવી લીધી, ધામધૂમથી શ્રા. સુ. પથી પ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ. આ મહોત્સવમાં પૂજ્યશ્રીએ સંઘના આગેવાનોને પ્રભુ-ભક્તિના આદર્શ મહિમા અને યચિત કર્તવ્યની મર્યાદાના વિશિષ્ટ-ઉપદેશથી પ્રેર આપી ઉદયપુરના સ્થાનિક-જિનાલમાં શ્રાવકે સ્વયં જાતે પ્રભુ ભક્તિ કરે અને મેવાડના ગામમાં જિનાલયમાં થતી આશાતનાના નિવારણ માટે આઠ દશ શ્રદ્ધાળુ ભક્તિવંત ભાઈ ને નીમી દર મહિને ૮ દિવસ આસપાસના ગામમાં જઈ આશાતના નિવારણની પ્રેરણા આપી રીકંદરે શ્રીસંઘમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અપૂર્વ ભાલ્લાસ સાથે વિવિધ તપસ્યાઓ અને ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયેલ. વિ. સં. ૧૯૩૯ના આ ચાતુર્માસ અંગે ઉદયપુર શ્રીસંઘ તરફથી પ્રકાશિત પ્રાચીન એતિહાસિક પુસ્તક (પા. ર૯)માં નીચે મુજબના ધાર્મિક કાર્યોની નોંધ મળે છે ચૌગાનના દહેરાસરજી પાસેની ધર્મશાળા જીર્ણ થઈ રહી હતી તેને તથા કંપાઉન્ડને ફરતો કોટ પણ વેરવિખેર થવા પામેલ, આ બંનેનો જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીની પ્રેરણાથી થયો. વળી આસો મહિનામાં ચૌગાનના દહેરાસરે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી નવપદજી મહારાજની ઓળીની આરાધના સામૂહિક રીતે ધામધૂમથી થઈ. પારાધકોને ભાવલાસ પૂજ્યશ્રીની તાત્વિક દેશનાથી વધવાના પરિણામે શ્રી નવપદજીની ઓળીજીના પાછલા ચાર દિવસમાં નવ છોડનું ભવ્ય ઉજમણું ચૌગાનના દહેરાસરના બહારના ચેકમાં બંધાયેલ ભવ્ય મંડપમાં ગોઠવાયું. ધર્મપ્રેમી-જનતાએ હજારોની સંખ્યામાં જ્ઞાન-દર્શન ચારિત્રના વિવિધ ઉપકરણ-સામગ્રીને નિહાળી તપ ધમની ખૂબ અનુદના કરેલ. શ્રી ગોડીજી મહારાજના મૂળનાયક પ્રભુજીને રોજ ધારણ કરાવી મારાધકોને ભાલાસ વધે તે હેતુથી સુંદર મુકુટ કુંડલ પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થઈને પૂજા ભણાવી અભિષેકની વિધિપૂર્વક ચડાવરાવ્યા. - heInwાથી =કઈ જી આપવા નક છે વર: રિતરિક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy