SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ છેવટે છે. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં તત્વદષ્ટિ અને જિનશાસનની માર્મિકતાના વિવેચનના સંદર્ભમાં–આચાર-શુદ્ધિમાં કાળ બળે આવતી ઓછાશ તત્ત્વદષ્ટિની નિર્મળતાથી ક્ષમ્ય બની શકે છે, પણ ગમે તેટલા ઉત્કૃષ્ટ-આચારોનું પાલન કરવાં છતાં તત્વજ્ઞ ગીતાર્થ–મહાપુરુષોની પરંપરાની વિનય-વફાદારી અને તત્ત્વદૃષ્ટિની વિષમતાથી જિનશાસનની મૌલિક બાબતે અંગે કરાતો અ૫લાપ જીવનને વિષમતર કર્મોના બંધનમાં ફસાવનાર બને છે. આ વાતને ખૂબ જ તર્કબદ્ધ રીતે શાસ્ત્રીયછાંથી છણાવટપૂર્વક રજુ કરી. જે. વ. ૫ સુધીના વ્યાખ્યાનમાં “આચારશુદિ જિનશાસનમાં મહત્વનું અંગ છતાં જિનશાસનની વફાદારી સૌથી વધુ મહત્ત્વની છે.” એ બાબત મહાનિશીથ આદિ સૂત્રોના સચોટ ઉદાહરણોથી શ્રોતાઓ સામે વ્યવસ્થિત રીતે રજુ કરી. પરિણામે સ્થાનક–વાસીઓ અને ત્રિસ્તુતિક-મતવાળાઓમાં ખળભળાટ શરૂ થશે. શ્રાવકોમાં અંદરોઅંદર વૈચારિક-સંઘર્ષ શરૂ થયા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનની પાટથી સ્પષ્ટ જાહેરાત કરી કે જે જે જિજ્ઞાસુઓને મારા વચનમાં સંશય કે શંકા ઉપજે કે મારી વાતની પ્રામાણિકતાની ખાત્રી કરવી હોય તે બપોરે ૨ થી ૪માં પ્રથમથી સમય નક્કી કરી પોતાના પક્ષના આગેવાન શ્રાવકને સાથે લઈ જિજ્ઞાસુભાવથી રૂબરૂ મળી ખાત્રી કરી શકે છે.” “જરૂર પડે તે તે પક્ષના આગેવાન જાણકાર કે પક્ષ નાયકે સાથે જાહેરમાં શાસ્ત્રપાઠની લેવડ-દેવડપૂર્વક સત્ય વાતની રજુઆત કરવાની પણ મારી તૈયારી છે.” આ ઉપરથી સ્થાનકવાસીઓ પિતાના સાધુ મહારાજ પાસેથી દલીલે અને શાસ્ત્રપાઠને જ લઈ અવારનવાર બપોરે આવવા લાગ્યા. પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓને માન્ય બત્રીશ આગમના જ પાઠો કાઢી બતાવી અને દલીલેમાં એકાંગીપણું પ્રબળતર્કો દ્વારા સમજાવી આવનાર સ્થૂળ-બુદ્ધિવાળા શ્રાવકોનાં હૈયાં કૂણું કરી દીધાં, વધુમાં પૂજ્યશ્રીના સંપર્કમાં આવેલા કેટલાક જિજ્ઞાસુ-શ્રાવકે હકીકતમાં અંતરથી મિથ્યાત્વની આગ્રહભરી માન્યતાઓની પકડ ઢીલી કરી શક્યા. પિતાને સાધુઓ અને પક્ષના મવડીઓને સત્ય તત્તની સમજુતી આપવા લાગ્યા પણ મતાભિનિવેશના કારણે સ્થાનકવાસી સંધમાં ખળભળાટ વધુ ઉગ્ર બન્યા. કુતર્કો અને એકતરફી દલીલે અને વ્યક્તિગત આચાર-શિથિલતાની વાતે આડે ધરી પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાનું વાતાવરણ સર્જાયું. Diu: વUI"ન, a :: રિજs
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy