SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કુ ubtZદદttes અજોડ વાદી વિજેતા શ્રી ઝવેરસાગરજી મ. શાસન-નાયકશ્રી મહાવીર-પરમાત્માના શાસનમાં અવિચ્છિન્ન-પ્રણાલિકારૂપે શુદ્ધસામાચારીને જીવંત રાખનાર શ્રી તપાગચ્છની મહત્ત્વની વિજય, સાગર, વિમલ અને ચંદ્ર શાખામાં શાસઘાત અને આમિક પરંપરાઓને વધુ સજીવ રાખનાર વિશિષ્ટ-મહાપુરૂષથી સાગર–શાખા છેલ્લા ૪૦૦ વર્ષમાં ખૂબ સમૃદ્ધ રીતે ફલીફૂલી અનેક મનીષીઓના હૈયાને આકર્ષનારી બની છે. તે સાગર–શાખામાં બારમી પાટે શાસન–પ્રભાવક અડ-ક્રિયાપાત્ર તરીકે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ઓગણીસમી સદીના પશ્ચાઈ ભાગે તેજસ્વી-તારકસમાં જિનશાસન-ગગનમાં ચમકી રહેલા કે જેમની અદ્વિતીય સંયમપ્રભા-જ્ઞાનપ્રભા અને ચારિત્રપ્રભાથી અમદાવાદના ધનસમૃદ્ધ નગરશેઠના વંશજો પણ જિનશાસનની અદ્વિતીય-મહિમાના “ભાવુક ભક્ત બની સ્વ-પર કલ્યાણકારી જીવન જીવી શકયા હતા. તે શ્રી મયાસાગરજી મ. શ્રીને બે શિષ્ય હતા. (૧) ઉત્કૃષ્ટ-ક્રિયાપાત્ર શુદ્ધ-સંવેગી પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. (૨) અજોડ વિદ્વાન પ્રવર વ્યાખ્યાતા પૂ. મુનિ શ્રી ગૌતમસાગરજી મ. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રમણસંસ્થાના કાળ બળે ઝાંખા પડેલ ગૌરવને દેદીપ્યમાન કરનારા હતા, વિવિધ શાસ્ત્રોના તેઓ અભ્યાસી હતા. તેમજ સમયચકના પરિવર્તન બળે શિથિલાચારી બનેલ શ્રમના વ્યકિતગત જીવનથી મુગ્ધજ પ્રભુ-શાસનની ઓળખાણથી વંચિત રહેવા ન પામે તે હેતુથી ક્રિયદ્વાર દ્વારા શુદ્ધમાર્ગને ટકાવી રાખવા જે સંવેગી પરંપરાનું સર્જન તે વખતના દીર્ઘદશી–મહાપુરુષોએ કર્યું હતું, જેમાં પીળાં કપડાં રાખી વારસાગત-જ્ઞાનની કેટલીક મહત્વની બાબતને ગૌણ કરીને પણ ચારિત્રને માર્ગ અક્ષુણ-અવ્યાબાધપણે ઉભે રાખ્યો હતે. તે પરંપરાને સઘળા પ્રયત્ને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રદેશમાં વિચરી શાસનને જયજયકાર કરનારા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. એ વખતના શાસનાનુરાગી ગુણગ્રાહી આરાધક પુણ્યાત્માઓના પ્રવ-તારક સમા હતા. વળી પૂ. ગૌતમસાગરજી મ. રાજ્ય-શાસનના છિન્ન-ભિન્ન તંત્રના આધારે કથળી ગયેલ પ્રજાજીવનમાં ધર્મતંત્રની સુવ્યવસ્થા–દ્વારા અપૂર્વ–શાંતિના અમૃતનું સિંચન કરવા દ્વારા ભવ્ય-જીવને પરમ આશ્વાસનરૂપ હતા. આવા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. ની ઓજસ્વિની શાસ્ત્રીય–શુદ્ધ દેશના અને ઉઘત-વિહારિતાથી આકર્ષાઈ મહેસાણું જૈન શ્રીસંઘે વિ. સં. ૧૯૧૨નું ચોમાસું આગ્રહપૂર્વક કરાવી વિવિધ ધર્મ-કાર્યોથી અને વિશિષ્ટ શાસન-પ્રભાવનાથી યાદગાર બનાવ્યું હતું. આGOES • હોઈ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy