________________
ઝવેરભાઈના તૃતીય પુત્ર કેશવલાલ વિ. સં. ૧૯૬૮માં સવ. પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.શ્રીના વરદહસ્તે કપડવંજમાં દીક્ષા લઈ પૂ. મુનિશ્રી કીતિવિજયજી મ. નામથી અગિયાર વર્ષ સંયમ પાળી વિ. સં. ૧૯૭૦ના ભાદ્રપદ વદ-૩ના રોજ ખંભાતમાં સ્વર્ગવાસ પામ્યા.
ઝવેરભાઈના ચતુર્થ પુત્ર શ્રીવાડીભાઈના સુપુત્ર શ્રી મુકુંદભાઈએ પૂ. શ્રી આગમોદ્ધારક આચાર્યદેવશ્રી પાસે પૂ. વ. ગણશ્રી લબ્ધિસાગરજી મ.ના શિષ્ય તરીકે દીક્ષા લીધી, જે આજે પૂ.પં. શ્રી યશોભદ્રસાગરજી મ. નામથી વિચરી શાસનની અનેકવિધ પ્રભાવના કરી રહેલ છે.
તથા વાડીભાઈના સુપુત્રી શ્રી ભદ્રાબહેને સાધ્વીશ્રી સુમલયાશ્રીજી મ. પાસે સ્નેહપ્રભાશ્રીજી નામથી દીક્ષા ગ્રહણ કરી.
ઝવેરભાઈની પ્રથમ પુત્રી પ્રધાનબહેને સા શ્રી હીરશ્રીજી મ.ના શિષ્યા તરીકે પુપાશ્રીજી નામથી દીક્ષા ગ્રહણ કરી.
પ્રધાનબહેનના સુત્ર શ્રી પોપટભાઈએ વિ. સં. ૧૯૮૭ દ્વિતીય અસાડ સુદ પના રોજ દીક્ષા સ્વીકારેલ, જેઓ ખૂબ શાન્ત, સરલ સ્વભાવી અને ખટપટથી રહિત હેઈ સમુદાયમાં ધર્મરાજાના નામથી વિખ્યાત બન્યા છે.
હાલમાં તેઓશ્રી પં. શ્રી પ્રબોધસાગરજી મ.ના નામથી સંયમી જીવન ગાળી રહ્યા છે.
પિોપટભાઈના સુપત્ની પ્રભાવતીબહેને પણ પિતાની દીકરી કંચનબહેન સાથે સંયમ ગ્રહણ કરી જીવન ધન્ય બનાવ્યું છે, જેના નામ અનુક્રમે શ્રી પ્રભૂજનાશ્રીજી તથા શ્રી કનકપ્રભાશ્રીજી છે.
પોપટભાઈને ભાઈ જેસિંગભાઈનાં પ્રથમ પત્ની ચંદનબહેને પિતાની પુત્રી કાન્તાબહેન સાથે પ્રભુશાસનની દીક્ષા સ્વીકારી, તેઓના નામ અનુક્રમે શ્રી ચંદ્રગુપ્તાશ્રી તથા નિત્યોદયાશ્રીજી છે.
જેસિંગભાઈનાં દ્વિતીય પત્ની ચંપાબહેનના પુત્ર પન્નાલાલભાઈ એ પણ બાલ્યવયમાં પૂ. પં. શ્રી પ્રબેધસાગરજી મ.ના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રમોદસાગરજી નામથી દીક્ષા ગ્રહણ કરેલ.
ઝવેરભાઈનાં દ્વિતીયપુત્રી સમરથબહેનના પુત્રી શાંતાબહેને પણ શ્રી નિરંજનાશ્રીજી નામથી દીક્ષા ગ્રહણ કરેલ,
આ રીતે ઝવેરભાઈના કુટુંબમાં આઠ પુરૂષ અને પંદર બહેનેએ સંયમના પંથે પ્રયાણ કરી જીવન ધન્ય બનાવ્યું છે.
આ સાથે રજુ કરેલ શિવાભાઈના ધાર્મિક કુટુંબની વંશાવલિ ઉપરથી આ વાત સ્પષ્ટપણે ખ્યાલમાં આવશે.
).