SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ -- - MORUM આવાં તેણે ગામ કે મંદિરના પ્રવેશદ્વાર તરીકે બાંધવામાં આવે, મંદિરના મંડપ કે ચોકીનાં તેરમાં છજાનું કામ ૫ કરે, એની ઉપર કલાત્મક ગેબલ ન હોય, તેથી બે સ્ત માંથી પ્રગટ થતું તરણું પાટને અ કી જાય ને ત્યાંજ તેની સમાપ્તિ થાય. પરંતુ પ્રત્યે ત્યારૂપ તરણમાં છજાને ઉપરનો અલંકૃત હિસે હોય જ. તે જ! તેની શોભા છે, મંદિરના પ્રવેશદ્વારે આવા છજા યુક્ત ગેબલવાળા તેણે હોય છે. સોમનાથના નવા મંદિરનું પ્રવેશદ્વાર આવા હિંડેલક પ્રકારના તેરણથી સેહે છે. ત્યાં છજા ઉપરના મધ્ય ગેબલમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિઓ કંડારવામાં આવી છે. મંડપમાં કે ચેકીઓમાં આવું હિડેલક પ્રકારનું તેરણ હેય, તે પણ તેને ગેબલ કે છજું ન હોય, કારણ કે મંદિરનો પાટ અહી તરણના મધ્યભાગને સ્પર્શે છે. આબુ-દેલવાડામાં ઈલિંકા અને હિં ડેલક પ્રકારના તારણો વિશેષ જોવા મળે છે, ગવાલુકાયુક્ત તેરણ તદ્દન સાદું હોય છે, તેથી તેને મંદિરની ચોકીઓમાં કંડારવામાં આવે છે, મુંબઈમાં કીંગ્સ સર્કલના જન મંદિરની ચોકી પાવા ગવાલુકાયુક્ત તોરણવાળી છે. - આ ત્રણેય પ્રકારના તારણે મકરમુખમાંથી જ પ્રગટ થતાં કંડારવામાં આવે છે. ઈલિકા તોરણે પાટના મધ્યભાગ સુધી કમશઃ ઉંચે ચઢતું જાય છે જ્યારે હિડેલક પ્રકારનું રણ સાગરના તરંગની જેમ ઊંચ-નીચા લઈને મધ્યભાગને સ્પર્શે છે, પણ ગવાલુકા તેરણ અર્ધગોળાકાર સ્વરૂપે મધ્યભાગને જ મળે છે. આ તારણમાં એની ભિન્ન પ્રકારની સાદગીભરી અલંકૃતિ જોવા મળે છે. આ તેરણે મંદિરના મંડપના સ્તને પાટને જોડતી અલંકૃતિરૂપે કંડારવામાં આવે છે, જ્યારે ગેબલયુક્ત તારણે મં.૨ના પ્રવેશદ્વાર તરીકે કંડારવામાં આવે છે. એમાં બધા અતિ–અલંકૃત એવું હિંડોલક પકારનું તોરણ જ કંડારાય છે. કયારેક એમાં ઈ લિકા પ્રકાર પણુ પ્રજાય પણ ગવાલુકા તે કવચિત્ જ. ગેબલયુક્ત રણમાં સ્તંભ અને તેરણની અલંકૃતિ તે બહુધા એની એજ રહે છે, પરંતુ ગેબલ ઉપરની શિલ્પાકૃતિઓમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે સોમનાથ મંદિરમાં ગેબલમાં મધ્યભાગે શિવ કંડાર્યા છે કારણ કે તે શિવ મંદિર છે) અને શિવની આજુબાજુ બ્રહ્મા અને વિષણુ છે. જે બ્રહ્માનું મંદિર હે તે મધ્યભાગે બ્રહ્મા અને આજુબાજુ શિવ અને વિષ્ણુ આવે, તેમજ સ્તંભની ઉપર સર વતી-સાવિત્રી આવે. એવી જ રીતે લક્ષ્મીનારાયણના મંદિરમાં તેને લગતા દેવે જ ગેબલમાં કંડારાય. આમ મંદિરમાં પ્રવેશમાં જ ખબર પડી જાય કે તે તેનું મંદિર છે ? કેઈ કારણોસર મંદિરને નાશ થઈ ગયે હેય ના પ્રવેશદ્વાર મારફતે ખબર પડી જાય કે તે કેનું મંદિર હતું ? આમ, ગેબલ એ એક દેવ-પ્રતીક બની રહે છે.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy