SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ WEBGNUM ચિવ ૫૪ - કપડવંજના શ્રાવિકારત્ન સ્વનામધન્ય ધર્મભક્તિના રંગથી ભરેલ શ્રી અમૃત શેઠાણીએ સાગર-શાખાના તે વખતના પ્રભાવક પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના નિર્દેશાનુસાર તેઓશ્રીની પ્રેરણું–તળે છૂટે-હાથે લક્ષમીને વ્યય કરી ૨-૪-૮-૧૦ના કમથી જિનબિંબને પધરાવી તાદસ્થ ચિત્ર ઉભું કરવાના મંગલ-સંકલ્પથી અષ્ટાપદજીનું જિનાલય બાંધ્યું હતું. તેના મૂળનાયક બે પ્રભુ પૂર્વસમ્મુખ ગભારે બિરાજમાન થયેલા આ દશ્યમાં દેખાય છે. ચિત્ર ૫૫ઃ શ્રી અષ્ટાપદજીના દહેરાસરની શિલ્પકલા તેમજ કતરણીવાળું બાંધકામ હકીકતમાં કપડવંજના અન્ય-જિનમંદિરે કરતાં મહત્વપૂર્ણ આગવું–સ્થાન ધરાવે છે. છે તેનું આછું દર્શન કરાવનાર પૂર્વાભિમુખ પ્રથમ ગર્ભગૃહના કલાત્મક બારશાખ અને દ્વાર તથા મંગળ-તોરણ વગેરે આ દશ્યમાં થાય છે. જે ઈ ધર્મપ્રેમી-ભાવિકોના હૈયા શેઠાણીનાં હૈયામાં ધબકી રહેલ અપૂર્વ–ધર્મરાગથી સભર બની સાહજિક–ગુણાનુરાગ તરફ વળી રહે છે. ચિત્ર ૫૬: જે જિનાલયની અભૂતપૂર્વ-પ્રતિષ્ઠાના મંગળ-ગાન આજે પણ જૈનેતર કવિ દ્વારા રાસરૂપે ધર્મપ્રેમી–આત્માઓનાં હૈયાને ધર્મપ્રેમની અનેરી મસ્તીના હિલેરે ચઢાવી દે છે, તે અષ્ટાપદજીના જિનાલયની ભવ્ય-કલાના દર્શન કરાવનાર અનેક સ્થાપત્ય આદિ પૈકી સમવસરણરૂપે ચતુર્મુખ-જિનબિંબની સ્થાપનારૂપ ભવ્ય સમવસરણ-ચિત્યનું દશ્ય મૂળ દહેરાસરની પાછળ જમણે (વાયવ્ય ખૂણે) જેવા મળે છે. તે સમવસરણ-ચૈત્યમાં વર્તમાન તીર્થ પટોની શૈલિ કરતાં વિશિષ્ટ આગવી શૈલિથી બનાવાયેલ શ્રી સમેત શિખર-મહાતીર્થનો ભવ્ય પટ, તેની આગળ સુંદર ઝીણું ફૂલવેલની કંડારણી આદિવાળા સ્થંભ સાથે આ ચિત્રમાં જોવા મળે છે. આવા કલાત્મક-તીર્થ પટ આજના સગવડીયા અને કલાદષ્ટિના ઘટાડાવાળ-યુગમાં ધર્મપ્રેમીઓને ખૂબ જ મૂક-પ્રેરણા આપી રહ્યા છે. ચિત્ર પ૭: | વિક્રમની અગિયારમી સદી લગભગ વસેલી કપડવંજની નવી વસાહતમાં સૌથી પ્રાચીન જિનાલયરૂપ શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય હોળી ચકલે ઢાંકવાડીમાં છે. Siળા વImus IPS રિસ
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy