SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ નદીને પટ ભલે ના હોય! પણ તેમાં કુદરતી શ્યામ પાષાણેથી નાની-મોટી શિલાપટ્ટિકાઓના ગંભીર દશ્યથી જોશીલા જળ-પ્રવાહથી ઘસમસાટ વહેનારી આ નદી હજાર-હજાર વર્ષ વીતી જવા છતાં પણ પિતાની ભવ્યતાને જાળવી રહી છે. સાહિત્યિક રીતે વિચારીએ તે નદીનું નામ મહેર એટલે માથાના મોડ તરીકે વપરાતા પ્રાચીન કાલીન-વરરાજાની સવગણ-શોભામાં અદ્વિતીય વધારે કરનાર વિશિષ્ટ–અલંકારના અર્થના સૂચક તરીકે ગણી આ નદી પિતાના પૂર્વ કિનારે મહા-ધાર્મિક ધન-સમૃદ્ધ શ્રીમતે અને ઉચ્ચ-પવિત્ર જીવન જીવનારા વિશિષ્ટ ધાર્મિક-મહાપુરૂષો કે જેઓ જનશ્રુતિ અને સ્કંદ પુરાણના આધારે ત્રેતાયુગના મહાધાર્મિક સત્યવાદી મહારાજા હરિશ્ચંદ્રના વખતના ધાર્મિકકુળના વંશજ-તેવાઓથી સભર કપડવંજ શહેરની પ્રાચીન–વસાહત પોતાના પૂર્વ કિનારે ધરાવતી. તેથી પ્રમાણમાં કે દેખાવમાં નાની લાગતી પણ આ નદી નામ પ્રમાણે સઘળી નદીઓના માથાઓના મેડ ખરેખર મહોર મુગટ જેવી છે. - આ નદી હાલના કપડવંજથી અમદાવાદ ભણી જતાં ટૂંકા પગ–રસ્તા (કે જે હાલ પાકી સડક રૂપે બનેલ છે.)ના મથાળે છે. અનેક પુણ્યાત્માઓ આ નદીને પાવન કરી ટૂંકા રસ્તે અમદાવાદ જેવા વિશિષ્ટ-ધર્મનગર સાથે સંબંધ ધરાવતા આવ્યા છે. ચિત્ર ૨૧ - કપડવંજની ભૂસ્તરીય રચનાના અવશેષોના સંગ્રહવાળી તેમજ પડવંજથી અમદાવાદના ટૂંકા પગરસ્તે મહોર નદી પછી તુર્ત આવતી આ નદી નામ પ્રમાણે વર શ્રેષ્ઠ અંશ=ભાગવાળી અકીક, લાલ રંગના જે સ્વેટ, લેટેરાઈટ અને લેખંડના મહત્વના રજકણોથી વ્યાપ્ત કાપવાળી ખળખળ વહેતી વરાંશી નદીનું આ દશ્ય છે. . પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી ધન્ય બનેલ આ ધરતીની ભૂસ્તરશાસ્ત્રીય-દષ્ટિએ પણ મહત્વપૂર્ણ રાસાયણિક, ખનિજ–તના અવશેષોથી ભરપૂર આ નદી અને તેની આસપાસને પ્રદેશ પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિની અદ્વિતીય મહત્તાને દર્શાવે છે. ચિત્ર રર :- કપડવંજના સાંસ્કૃતિક ઇતિહાસને મૂકપણે કહેનારી પ્રાચીન સ્થાપત્યકળાના નમૂના રૂપ જગવિખ્યાત ૩૨ કોઠાની સુંદર વાવનું સન્મુખ-દશ્ય આ ચિત્રમાં છે. આના સંબંધમાં ઈતિહાસ એમ બેલે છે કે – ગુર્જરપતિ સિદ્ધરાજ-જયસિંહે ભૂમિગત વિશેષતા ધ્યાન પર લઈ માળવા તરફના આક્રમણને ખાળવા વનદુર્ગ તરીકે અહીં અનામત રીન્યની છાવણ જ્યારે સ્થાપેલ, ત્યારે ગુર્જરી મહારાજા સિદ્ધરાજના અંગરક્ષક (મતાંતરે–ભીમ નામના વૃદ્ધ ચારણ) કુષ્ઠ રેગન ભયંકર ત્રાસથી કંટાળીને અહીંના તળાવમાં નહાવા પડેલ! ભાવીને ચમત્કારી રીતે તેને કેઢ રોગ ચાલે જિ.વડો ન ચારૈયા કરો ક જ કામ છે,
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy