SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સિત.. 50% વ્યાપાર-કુશળતા દ્વારા કરોડ રૂપિઆની સંપત્તિ, બુલંદ-ભાગ્યના સિતારાથી ઓપતા હકીભાઈ શેઠે મેળવેલી હતી. તેમ છતાં ધર્મને રંગ વધુ પ્રમાણમાં ગ્ય-સહયોગી વિના તેમજ જ્ઞાની-ગુરૂના સંપર્કના અભાવે હઠીભાઈ શેઠના જીવનમાં ખીલી ન રહ્યો હોવાનું જાણી શ્રાવક–તરીકે વિવેકપૂર્ણ ભાવ– દયાથી લખલૂટ-સંપત્તિની છેળામાં લાખેણ-મનુષ્યભવ શેઠ હારી ન જાય તેવું વિચારી નગરશેઠ હેમાભાઈએ સમય–સૂચકતા વાપરી દીર્ઘદ્રષ્ટિથી પોતાની દીકરી રૂકમણીના શુભ લગ્ન હઠીસંગ શેઠ સાથે કરી વ્યાવહારિક-સંબંધ સ્થાપી તેના માધ્યમથી કુટુંબમાં ધર્મભાવના વધારવા સપ્રયત્ન કર્યો હતે. નગરશેઠ શ્રી હેમાભાઈની ધારણા પ્રમાણે હઠીસંગ-શેઠના જીવનમાં ધાર્મિક-સંસ્કારે સુદઢ-રીતે પ્રગટ થવા માંડયા, જેથી કે ધંધાકીય ગળાડૂબ-પ્રવૃત્તિ છતાં પણ અર્ધાગિની બનેલ શ્રાવિકાના મીઠાં સૂચને અને માર્મિક-પ્રેરણાઓથી પ્રભુ-દર્શન અને વિતરાગ-પ્રભુની અષ્ટ પ્રકારની પૂજા, શ્રી નવકારને જાપ. કયારેક સામાયિક આદિ ધર્મ-ક્રિયાઓની આચરણ સાથે રાત્રિ-ભજન, અભય-ભેજન આદિના ત્યાગદ્વારા હઠીસંગ શેઠનું ધાર્મિક-જીવન-ઘડાવા પામ્યું ઉપરાંત જીવનશુદ્ધિ માટેની શ્રાવકોચિત-કર્તવ્યોની નિષ્ઠાનો વિકાસ શેઠાણીની દોરવણી મુજબ ક્રિયાપાત્ર-સંગી–સાધુઓના સમાગમમાં અવારનવાર આવવાથી હકીસંગ શેઠ ધર્મ–માર્ગે અંતરંગ-રુચિવાળા પણ થયા. ભાવિની અકળ ગતિના ન્યાયે શેઠાણી રૂક્ષ્મણીબહેનની આંખે ન કળી શકાય તે વ્યાધિ થયે, ઘણા-ઘણા ઉપચાર કરવા છતાં મટે નહિ, છેવટે આંખોનું તેજ ગયું. હઠીસંગ શેઠે પિતાના વ્યાવહારિક-જીવનને ધર્મ–માર્ગે વાળી આદર્શ-પત્ની તરીકેની ફરજ બજાવનાર શેઠાણુંના દર્દના નિવારણ માટે કૃતજ્ઞતાપૂર્વક ભરચક પ્રયત્ન કરેલા, તેમ છતાં ભાવીની પ્રબલતાએ શેઠાણીની આંખોનું તેજ જવાથી શેઠ ખૂબજ ચિતિત બનેલા, પરંતુ શેઠાણી દ્વારા મળેલી ધર્મની સૂઝથી કંઈક સ્વસ્થ બન્યા હતા. નગરશેઠ હઠીભાઈની ચઢતી–જુવાનીમાં આવી વિષમ ઘટના થવાથી ગ્ય-ભાવીને વિચાર કરી પિતાની બીજી દીકરી પ્રસન્નકુંવરીને ઠાઠપૂર્વક શેઠ સાથે પરણાવી. પરંતુ કુદરતી અકળ-ગતિ મુજબ ટૂંક સમયમાં પિતાની બીજી દીકરી પ્રસન્ન કુંવરી સ્વર્ગથ થતાં નગરશેઠ ભારે વિમાસણમાં મૂકાએલ. ટૂંક સમય બાદ શેઠાણી રૂક્ષમણીબહેનના સિંચેલ ધર્મ-સંસ્કારના આધારે તેમજ વિષમ અન્તરાય-કમને ખસેડવાને ઈરાદે શેઠાણીની પ્રેરણાથી કુટુંબ-પરિવાર સાથે ઠાઠથી હઠીસંગ શેઠ શ્રી સિદ્ધાચળ-મહાતીર્થની યાત્રાર્થે ગયા, ત્યારે ઘોઘાની યાત્રા-પ્રસંગે ભાવી- નિગે કુદરતી જીરાવનારની ય RIA
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy