________________
KESEHÖVEURS
વૃદ્ધાવસ્થામાં ચાકરી કરનાર એક વિનીત શિષ્યની જરૂર છતાં આત્મ-કલ્યાણદૃષ્ટિની મુખ્યતાએ વિવેક અને સમજણના સદુપગ પૂર્વક હલકમપણાના આધારે પિતાની શિથિલતાના એકરાર સાથે કઈ સાર–શુદ્ધ-સંવેગી ગુરૂની નિશ્રા સ્વીકારી જીવન ધન્ય બનાવી લેવા પ્રેરણા કરેલ.
પરિણામે સાગર-શાખાના તે વખતના વિશુદ્ધ, કિયાપાત્ર અને ધર્મોપદેશ દ્વારા મારવાડ, મેવાડ જેવા પ્રદેશમાં પણ અપૂર્વ શાસન-પ્રભાવના કરનાર પૂ. મુનિશ્રી નાણસાગરજી મ. પિતાના શિષ્ય મુનિશ્રી નિધાનસાગરજી મ. સાથે વિહારકમે વિચરતાં જોધપુર પધાર્યા. પ્રાયઃ વિ. સં. ૧૮૬૯નું ચાર્તુમાસ કર્યું.
ચાતકની જેમ સદ્ગુરૂની ઉત્કંઠિતપણે પ્રતીક્ષા કરનારા શ્રી મયાસાગરજી યતિએ પિતાના વૃદ્ધ-ગુરૂની અનુમતિ મેળવી તેઓશ્રીની વૈયાવચ્ચનું કામ સરસ રીતે પતાવી ફાજલ પડતા સમયમાં ચાર્તુમાસ દરમ્યાન વિનય, નમ્રતા, નિખાલસતા આદિ ગુ થી આકર્ષિત બનેલ પૂ. મુનિશ્રી નાણુસાગરજી મના હૈયામાં અપૂર્વ સ્થાન મેળવ્યું, અને સાધુસામાચારી શ્રી આવશ્યસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર આદિનું પ્રાથમિક-જ્ઞાન મેળવી જીવનને ધન્ય બનાવ્યું.
છેવટે ચાર્તુમાસની સમાપ્તિએ વિ. સં. ૧૮૭૦ના કારતક વદ ૧૦ને મંગળદિને શ્રી નાસાગરજી મ.ની વિશુદ્ધ કિયા, સંવેગભરી દેશના અને ઉદાત્ત જીવનચર્યા. આદિથી આકર્ષાઈ જીવનનૈયાના સફળ-સુકાની તરીકેને દઢ સંકલ્પ કી મયાસાગરજી યતિએ પિતાના ગુરૂની વૃદ્ધાવસ્થામાં સેવાચાકરી બરાબર થાય તેને પાકે પ્રબ ધ કરી ભવભીરૂ, સંવિગ્ન-પક્ષપાતી ગુરૂદેવની હાદિક સંમતિથી ઉલ્લાસભેર નાણુ સમક્ષ સંવેગી-દીક્ષા સ્વીકારી
પૂ. ગુરૂદેવની નિશ્રામાં ગવહન કરી વડી દીક્ષા, સાત આયંબિલ આદિ શાસ્ત્રીય-વિધિનું પાલન કરી. દૂધમાં સાકર ભળે તેમ પિતાના ગુરૂભાઈ પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. સાથે એકરૂપ બની ગુરૂનિશ્રાએ જીવનશુદ્ધિના તને સક્રિયપણે સમજવા સાથે પૂ. ગુરૂદેવ સાથે વિહાર કરવા લાગ્યા.
ગુરૂચરણમાં વિનય-નમ્રતાથી બેસી આગેમિક-જ્ઞાન રૂં સંપાદન કર્યું. પરિણામે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. સ્વભાવે ખૂબજ શાંત, ગંભીર અને ગુણગ્રાહી બની રહ્યા.
એઓએ ગુજરાત, મારવાડ, મેવાડ આદિ પ્રદેશમાં કઠોર સાધુચર્યાના પાલન સાથે શુદ્ધ ઉપદેશ દ્વારા અનેક ભવ્યને ધર્માભિમુખ બનાવેલ.
તેઓ પ્રાયઃ દરરોજ એકાસણું વિગઈએ સિવાયને ક્ષ-નીરસ-આહાર નિર્દોષપણે મળે હેય તેનાથી કરતા.
સ
?
OOOHY » OS200
૩૨૬
ર
SuvM.
- -
-