SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ - ના KTOBAVJEHRS આત્માના કમરેગને પણ દૂર કરે. એ હેતુથી સંયમના પંથે મણિભાઈને જવા દેવાની તજવીજ કરી.” હકીક્તમાં વડીલબંધુ જેવા રવાના થયા, તેવાજ સંગમ-પ્રાપ્તિના અપૂર્વ–ભાવોલ્લાસથી માનસિક-રીતે ખૂબ પ્રસન્ન બન્યા હેઈ, શરીરની રોગજન્ય અસ્વસ્થતા તેઓની ખૂબ જ ઓછી થઈ ગયેલી, તાવ, શરદી, ઉધરસ, કેડને દુઃખા આદિ કોઈ તકલીફ અહીંથી નિકળ્યા પછી થવા પામી ન હતી.” આમ દ્રવ્ય-ભાવ રોગને મૂળમાંથી કાઢનાર ભાવદવા રૂપ સંયમ શ્રેષ્ઠ ઉપાય હોઈ તે અંગે પૂ. પરમપકારી સાચા હિતેચ્છુ બાપુજીએ તમારા બધાયની હરખભેર વિદાય દવાના બહાને અપાવી, અમોને અહીંથી મેકલેલ અને ભાગ્યેગે વડીલબંધુને પૂ. સદ્ગુરૂની સફળ નિશ્રા સાંપડી ગઈ, પરિણામે પ્રભુશાસનના પંથે સંયમી તરીકે આગેકૂચ કરવા પણ માંડી.” હું અભાગી ! કે સંસારની ઝંઝટોને લીધે પુણ્ય કી ખામીથી નદી કે કૂવાના કાંઠે જઈ તરસ્ય જ પાછો આવ્યો. આ પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રીએ મેહની કારમી-ભ્રમણામાં મશગૂલ બનેલ સ્વજન-વર્ગને શાંતિથી ધીરતા પૂર્વક સત્ય-હકીકતની રજુઆત દ્વારા સાંત્વના આપી. સહુ પૂ. ચરિત્રનાયકશ્રીની નાની વય છતાં ધીર-ગંભીરપણે ડહાપણભરી વાતની બેધડક વ્યવસ્થિત-રજુઆતથી પ્રભાવિત બની મણિભાઈની દીક્ષાની મનમેદના સાથે વિખરાયા. આમ પૂ. ચરિત્રનાયકશ્રીએ કુટુંબીઓના વિરોધી – વાતાવરણને મીઠી જીભ અને ગંભીર પ્રકૃતિના બળે આસાનીથી પલટાવી શમાવી દીધું. ફકત જમનાબહેન મેહની ઘેલછા અને માતૃ-વાત્સલ્યના વિકૃત-મિશ્રણથી શાંત ન થયાં. તેમને ધુંધવાટ જબરે હતું, પૂ. ચરિત્રનાયકશ્રીએ સમય પારખી માતાજીની મર્યાદા જાળવવાની દૃષ્ટિએ મૌન ધારણ કર્યું. જમનાબહેને મગનભાઈને જાતજાતના તીખા-કડવા શબ્દો સંભળાવવા સાથે ભારે - રોકકળ–ધમાલ કરી મૂકી. કુટુંબીજનેએ સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા અને પાશ્વાસન આપ્યું કે— ઉંમર લાયક છોકરો વિધુર થયા પછી ઘણા પ્રયત્ન છતાં પરણવા તૈયાર હતો નહીં અને ચઢતે રંગે વૈરાગ્યવાસિત બની પ્રભુશાસનના પંથે આત્મ કલ્યાણ સાધવા ગયે છે, સારી જ વાત છે ને ? તમારી કુખ ઉજાળશે ! હવે શા માટે નાહક ધમાલ કરે છે ? આદિ...” આમ છતાં મહા સુદ ૧૫ સુધી ખૂબ ધમાલ ચાલી, પછી જમનાબહેન બધાના દબાણ સમજાવટના હિસાબે કાંઈક બહારથી નરમ પડ્યાં પણ અંદરથી ધુંધવામણુ શમી નહીં. આ ડગ માને ર )
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy