________________
MA 12 HUVUN
મગનભાઈ એ કહ્યું કે “એ હવે આપ જાણો! મેં તે મારી ફરજ અદા કરવા રૂપે ઘરવાળા, શ્રાવિકા આદિના ઉગ્ર વિરોધ વચ્ચે સુચ-કેળવણી દ્વારા અને બાળકોને જિનશાસનના ચરણે ધરવા આપની પાસે લાવ્યો છું.” હવે આપ જાણે.
પૂ. ઝવેરસાગરજી મ. એ કહ્યું કે “આજનો દિવસ રહો! રાત્રે એગ્ય તપાસ કરી કાલે સવારે નિર્ણય કરીશું.”
મગનભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની આવી આશ્વાસનભરી વાણી સાંભળી ખૂબ પ્રસન્ન થયા, મણીભાઈને લાગણીવશ તમન્ના વધુ ઉત્કટ હેઈ મનમાં જરા લાગ્યું કે પૂજ્યશ્રીએ જલદી નિર્ણય કેમ ન આપે?”
બન્ને બાળકોને સાંજનું બિયાસણું કરાવ્યા પછી બધા દહેરાસરે દર્શન કરી મેટા દેહેરે ભાવપૂર્વક ચઢાવ લઈ આરતી-મંગલ-દી અને બાલક પાસે ઉતરાવ્યું.
પછી પૂજ્યશ્રી પાને પ્રતિક્રમણ કર્યું રાત્રે વિશ્રામણ કરતાં પૂજયશ્રીના અગાધ જ્ઞાનસાગરમાંથી થોડી અદ્ભુત વાનગીઓ મેળવી.
પૂ. ઝવેરસાગરજીમશ્રીએ મણિલાલ અને પૂ.ચરિત્રનાયશ્રીને જુદા-જુદા પિતાની પાસે બોલાવી તેઓના અંતરની પરીક્ષા કરી, જેમાં પૂ. ચરિત્રનાયકશ્રીના હૈયાને રણકાર સાંભળી પૂજ્યશ્રી ચકિત થઈ ગયેલા, એગ્ય સમયે મગનભાઈ સાથે બન્ને બાલક ઉપાશ્રયમાંજ સંથારા પર સૂઈ ગયા.
સવારે યોગ્ય-અવસરે પૂજ્યશ્રીએ મગનભાઈને એકાંતમાં બોલાવી કહ્યું કે-“મારે મણિલાલ સાથે લેણું નથી, તેને આત્મવિકાસ બીજા કેક સુગ્ય સાધુ ભગવંતની નિશ્રામાં થાય તેમ છે ! પણ હેમચંદના ગ્રહો અને તેની પ્રકૃતિ મારા જીવનના અધુરા અરમાનેની પૂર્તિ દ્વારા અપૂર્વ શાસન-પ્રભાવના કરનારા
ઈ મારી સાથે તેના સંયમી-જીવનને ટુંકે સંબંધ છતાં શાસન માટે ખૂબજ લાભદાયી બને તેમ લાગે છે, પણ તેની ઉંમર હજી સગીર છે? માટે થોડા સમય પછી તેને દીક્ષા આપી શકું !!!!” | મગનભાઈ આ સાંભળી જરા ગૂંચમાં પડયા, પણ ગુરૂવચન તહત્તિ કરી શ્રદ્ધા-વિશ્વાસ સાથે પૂજશ્રીનું વચન માથે ચઢાવ્યું.
બન્ને બાલકને “હજી આપણું અંતરાયને ઉદય છે” વિગેરે વાતે દ્વારા સમજાવી-પટાવી વૈ. સુ. ૯ સાંજે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું, વૈ. સુ. ૧૦ સાંજે અમદાવાદ આવી પહોંચ્યા અને વૈ. સુ. ૧૧ સવારે કપડવંજ પહોંચ્યા.
બન્ને ભાઈઓ રમતામાં અંદરો-અંદર વાત કરતા, કે “પૂજ્યશ્રીએ ન-જાણે બાપુજીને શું