SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મગનભાઈને વિ. સં. ૧૯૪૪ની ફાગણ-ચમાસીની આરાધના દર વર્ષ કરતાં વધુ સચોટ રીતે સફળ થયાને અનહદ આનંદ થયે. વિ. સં. ૧૯૨૪માં તાક-ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ. ચાતુર્માસ કરેલ અને ચાતુર્માસ દરમ્યાન પનવણું સૂત્ર અને ભવભાવના ગ્રંથનું વાંચન વ્યાખ્યાનમાં થયેલ, તે વખતના વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા એવી તત્વદી ઘડાયેલ કે જેના પરિણામે લગ્ન-પૂર્વે સંસાર છોડી ત્યાગના પંથે જવાની પ્રકૃષ્ટ ભાવના કાળચકના ઘસારાથી જરા મંદ પડેલ-તે ફરી સતેજ થયેલ. વળી તે ચોમાસામાં વાષિરાજની આરાધનાના ત્રીજા દિવસે “વિરતિ પૂર્વક પર્વાધિરાજની આરાધના આત્મશુદ્ધિનું બળ વધુ અપે છે” એ બાબત ઉપર પૂ. ઝવેરસાગરજી મ. શ્રીએ તાત્વિક–શૈલિથી સંયમ-ધર્મને ઉદાત્ત-મહિમા જે વર્ણવેલ-તે સાંભળી મગનભાઈએ દઢ નિર્ધાર કરેલ કે-“જેન-કેન ઉપાયે પણ હવે આ સંસારથી નિકળે જે છુટકે !” સંથારે જ શરીર છોડવું છે! સંયમ ધર્મના સ્વીકાર વિના જીવન વૃથા છે.” એવા દઢ-સંકલ્પ સાથે ચાસઠ પ્રહરી–પૌષધ પાળતી વખતે પૂ. ઝવેરસાગરજી મ. પાસે ત્રણ વિગઈત્યાગને અભિગ્રહ અમુક વર્ષ પછી દીક્ષા ન લેવાય ત્યાં સુધી સ્વીકારેલ. ત્યાર પછી પૂ ઝવેરસાગરજી મ. સાથે પત્ર વ્યવહાર, વિવિધ ધર્માનુષ્ઠાને, અવારનવાર કપડવંજ પધારતા પૂ. મુનિ -ભગવંતોને સહવાસ આદિ દ્વારા સંયમ–નિષ્ઠાની ઉત્તરોત્તર કેળવણી મજબૂત થતી ગયેલી. પરંતુ ભાવ-નિયેગે વ્યાવહારિક રીતે ચાર-પગમાંથી છ પગવાળી અને આઠ-પગવાળી સ્થિતિનું સર્જન થતાં ઘેરી-ચિરાના વમળમાં મગનભાઈ ફસાયેલા. પણું સંતાનોના ગર્ભકાળ દરમ્યાન અનુભવેલ વિવિધ અસર તથા જન્માક્ષરના ફળાદેશેથી કંઈક હૂંફ આવેલ. તેમ છતાં શ્રાવિકાના મેહની પ્રબળતાથી મગનભાઈને સંયમધર્મ રૂપ દિહી બહુ દૂર લાગતું હતું, તેમ છતાં “લાખ નિરાશામાં એક અમર આશાની કહેતી પ્રમાણે જન્માક્ષરના વર્ણવેલ ઉત્તમ-ગ્રહ થી સૂચિત ગત જન્મની વિશિષ્ટ-આરાધનાનું બળ લઈને આવેલ સંતાનની એગ્ય ધાર્મિક-કેળવણીના પરિણામે કદાચ મારે જીવનરથ સંસારની મંજી યુક્ત ગારામાંથી બહાર આવી જાય તે આશા–પરમ શ્રદ્ધાએ શ્રાવિકાના-કુટુંબીઓનાં મહેણાં સાંભળીને તેઓની નારાજી-અનિચ્છાની પરવા કર્યા વિના મગનભાઈએ આદર્શ-શ્રાવક તરીકે અને પિતાની ચાગ્નિ-ગ્રહણ કરવાની અભીપ્સાને મૂર્તિમંત બનાવવાના સ્વાર્થ–પૂર્તિરૂપે બાળકોના , , -
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy