SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ 7િ ) 225078 પ્રભુએ આંતર-શુદ્ધિ માટે જે જાતનું જીવન વિરતિની ભૂમિકાએ નિર્દેશ્ય છે, તે રીતે જીવવા માટે આ સંસારની પ્રવૃતિઓમાંથી બંધાતા કર્મો કે મોટો અવરોધ ઉભું કરે છે?” આદિ વિભીષિકાભર્યા વિચારે મગજમાં ઘમરોળ મચાવતા. પણ વિવેકી-આદર્શ-શ્રાલકરત્ન તરીકે પૂ. બાપુજીની હૃદયંગમ-સરસ સમજાવટભરી તાત્વિક–પદાર્થોને સમજાવવાની કોલિથી થતી અવારનવાર વિચાર–ગેષ્ઠી આદિથી હેમચંદભાઈ ૧૦ થી ૧૪ વર્ષના ગાળામાં પ્રશાસનના સંયમના પંથ પ્રત્યે પિતાના માનસને વાળવાને સમર્થ બની શક્યા. શ્રી મગનભાઈ આદર્શ વિકશીલતાના ફળ રૂપે પિતાના સંતાનમાં પ્રભુશાસનની વફાદારી અને સંયમનિષ્ઠા ઉપજાવે તાત્વિક–રીતે શ્રાવક્મળની સફળતા મેળવી શકયા, તેના કારણરૂપ આદર્શ વિચારસરણિનું પ્રતિબિંબ પાડનારા એ વખતના મગનભાઈના સ્વ-હસ્તાક્ષરના લખેલા બે પત્રો મળી આવ્યા છે તે અહીં અક્ષરશ: રજુ કરાય છે. - “સ્વસ્તી શ્રી પારસજિન પ્રણમ્ય શ્રીમતી તત્રશ્રી ઉદેપુરનગરે એકવિધ સંજમના પાલક, દુવીધ ધરમરૂપ તારણ, ત્રણ રતનના ધારક, ચાર કષાય ! જીપક, પંચમહાવ્રતના પાલણહાર, છકાયના-ના-? સાત ભય પણ, આઠ મદના જીપક, નવવીધ બ્રહ્મ ગુપતી ધ રક, દશવીધ જતી ધરમના પાલક, અગીયાર અંગના જાણ, બાર ઉપાંગના જાણ, તેર કાઠીયાના નીવારક, ચઉદવી. ગુણ જાણ, દીનદીને સ્વપરને આત્મ ગુણના દાતાર, દમી, સમી, શાંત, દાંત, ત્યાગી, વૈરાગી, સૌભાગી, સક –પંડીત-શિરોમણી, પ્રવર પંડીતજી, જિનશાસનભાસ્કર ઇત્યાદિ અનેક ઉપમા લાયક શ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી ! મહારાજ શ્રી ઝવેરસાગરજી જેગ કપડવંજથી લખીતીગ આપના ચરણ-કમળની સેવાને સદા ઈચ્છક ગનલાલ ભાઈચંદની વંદના ૧૦૦૮ વાર તીકાલ યથાયોગ વખતે અંગીકાર કરશે. આપના દર્શનની ઘણી ચાહના છે, તથા આપના ચરણ–સેવાની ચાહના નીરંતર કરવાની વરતે છે, તે હવે તાકીદથી આવતી સાલમાં બનશે, એ આશા છે, પછી તે કરમના પરપંચની ખબર પડતી નથી. ગણા ઉય અકળ જવાને લીધે ગણો જેર હે છે, પણ આપ સરખા ગુરૂ ફરી ફરીને મળવાના નથી, માટે કંઈ વાતને વિચાર નહીં કરતાં રૂડા કારણે લાભ થશે એમ વિચારીને જે વીચાર ગોઠવ્યો છે. તે વખત ઉપર જણાવીને આપ જ્યાં હશે એ જગીષાએ આવીશ-તે જાણશે .” ૧૯૪૭ના શ્રાવણ સુદ ૮ ને મંગળ આ પત્રમાં મગનભાઈની આદર્શ ગુરૂ ભક્તિ તેમજ વિવેકનિષ્ઠાને સ્પષ્ટ પરિચય મળે છે. વધુમાં સંયમ પ્રતિ તીવ્ર લાગણી દર્શાવતા કેટલાક વાકયે ધ્યાન ખેંચે તેવા છે જેમ કે “આપના ચરણની સેવાની ચાહના નિરંતર કરવાની રહે છે, તે હવે તાકીદથી આવતી સાલમાં બનશે * * +” “ગણુ ઉદય અફળ જવાને લીધે ગણે જેર રહે છે ...કરમના પરપંચની ખબર પડતી નથી ....”
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy